CSMT સહિતનાં રેલવે સ્ટેશનો પર પાણીમાં મળ્યાં હાનિકારક બેક્ટેરિયા
CSMT સહિતનાં રેલવે સ્ટેશનો પર પાણીમાં મળ્યાં હાનિકારક બેક્ટેરિયા
Published on: 18th August, 2026

એક રાષ્ટ્રીય અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે કે CSMT, ભિવંડી રોડ, કલ્યાણ અને લોનાવલા સહિત અનેક રેલવે સ્ટેશનો પર પીવાના પાણીના નમૂનાઓમાં ઈ-કોલાઈ બેક્ટેરિયા મળી આવ્યા છે. આ બેક્ટેરિયા સામાન્ય રીતે મળ દૂષણ સાથે સંકળાયેલા હોય છે અને ઝાડા, ફૂડ પોઇઝનિંગ જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. CAG રિપોર્ટ મુજબ, ઘણા સ્ટેશનો પર ટેસ્ટિંગ કિટ્સ પણ ઉપલબ્ધ નહોતી, જેમાં મધ્ય રેલવેના ૨૮ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ ગંભીર મુદ્દાઓને પગલે રેલવે દ્વારા ૨૦ હજાર સ્થળોએ ફિલ્ટરેશન અને મોનિટરિંગ સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવશે.