તેલંગાણામાં 10મા ધોરણના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલની હત્યા કરી
તેલંગાણામાં 10મા ધોરણના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલની હત્યા કરી
Published on: 20th August, 2026

તેલંગાણાના નલગોંડા જિલ્લામાં શાળાના પ્રિન્સિપાલ રૂપા રેડ્ડીની સનસનાટીભરી હત્યાનો કેસ પોલીસે ઉકેલી નાખ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે શાળાના જ 10મા ધોરણના બે 16 વર્ષના વિદ્યાર્થીઓએ પૈસાની લૂંટ કરવાના ઇરાદે તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી હતી. આરોપીઓએ પ્રિન્સિપાલ પર ચાકુ વડે 27 વખત હુમલો કર્યો હતો. પ્રિન્સિપાલ તેમના વિદ્યાર્થીઓને પ્રેમથી 'બાબૂ' કહીને બોલાવતા હતા, જે શબ્દ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં મહત્ત્વનો સુરાગ સાબિત થયો.