નેપાળમાં પૂર બાદ બિહાર-યુપી એલર્ટ, NDRF તૈનાત
નેપાળમાં પૂર બાદ બિહાર-યુપી એલર્ટ, NDRF તૈનાત
Published on: 27th August, 2026

તિબેટ અને નેપાળમાં ભારે જળહોનારત બાદ બિહાર અને ઉત્તર પ્રદેશમાં પૂરનું સંકટ સર્જાયું છે, જેથી સમગ્ર વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને બિહારના સરહદી વિસ્તારોમાં NDRF ની 9 ટીમો અને SSB જવાનોને તૈનાત કરાયા છે. મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું અને ખાતરી આપી કે ગંડક નદીના જળસ્તરમાં ઘટાડો થતાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ગંડક નદીમાંથી 3 મૃતદેહ મળ્યા છે. PM અને ગૃહમંત્રી પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.