ગુજરાતમાં 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ!
ગુજરાતમાં 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ!
Published on: 03rd August, 2026

ગુજરાતમાં સરકારી યોજનાઓમાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ મેળવવા માટે સુખી-સંપન્ન પરિવારો, જેમની પાસે કાર, બંગલા, જમીનો છે અને જેઓ Income Tax ભરે છે, તેમજ કંપની ડિરેક્ટરો પણ 'નકલી ગરીબ' બન્યા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં 55.09 લાખ શંકાસ્પદ રેશનિંગ કાર્ડ સામે આવ્યા છે, જેમાંથી 15.58 લાખ રદ કરાયા છે. કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા વિભાગે Income Tax, કૃષિ, ગૃહ મંત્રાલય, પોસ્ટ અને RTO પાસેથી ડેટા મેળવી આ કૌભાંડ ઉજાગર કર્યું છે. ગરીબોના હકના અનાજની આ લૂંટ સામે સરકારી તંત્ર પર પ્રશ્નો ઉભા થયા છે.