CBSE પુસ્તકોમાં ગણિતજ્ઞા રામાનુજન અને ફુલે દંપતિ સંબંધિત ખોટી વિગતો
મહારાષ્ટ્રમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) હેઠળ અમલમાં આવેલા CBSE આધારિત નવા પાઠ્યપુસ્તકોમાં અનેક તથ્યાત્મક અને પ્રિન્ટીંગ ભૂલો મળી આવી છે. ધોરણ 3 અને 4ના પુસ્તકોમાં ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનના અવસાનની ખોટી તારીખ, માપ સંબંધિત ભૂલો અને મહાત્મા જ્યોતિરાવ ફુલે અને સાવિત્રીબાઈ ફુલે દ્વારા સ્થાપિત ભારતની પ્રથમ કન્યાશાળાને માત્ર રાજ્યની પ્રથમ કન્યાશાળા તરીકે દર્શાવવા જેવી ગંભીર ભૂલો સામે આવી છે. શિક્ષણવિદો અને વાલીઓએ પુસ્તકોની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા છે. બાલભારતીએ ભૂલો સ્વીકારી આગામી આવૃત્તિમાં સુધારા કરવાની ખાતરી આપી છે.
CBSE પુસ્તકોમાં ગણિતજ્ઞા રામાનુજન અને ફુલે દંપતિ સંબંધિત ખોટી વિગતો
સેનામાં 9 ઘાતક હથિયારોનો સમાવેશ: 52 હજાર કરોડની સંરક્ષણ ડીલને મંજૂરી
ભારતીય સેનાની તાકાતમાં 52,000 કરોડ રૂપિયાના સંરક્ષણ ખરીદી પ્રસ્તાવોની મંજૂરીથી નોંધપાત્ર વધારો થશે. આ ડીલ આર્મી, નેવી અને એરફોર્સની લડાયક ક્ષમતા વધારશે. આર્મી માટે આધુનિક એન્ટિ-ડ્રોન સિસ્ટમ 'આકાશ તરંગ', MPATGM, MRSAM, V-SHORADS, એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ અને 'કમિકાઝે ડ્રોન' સામેલ થશે. નૌસેના માટે ગ્રાઉન્ડ માઇન્સ(MIGM) અને હાઇટેક ડ્રોન સિસ્ટમ(NSUAS) તથા સ્વદેશી ટેક્નોલોજી માટે LBTF બનાવવામાં આવશે. વાયુસેના માટે હાઈ એલ્ટીટ્યુડ સ્યુડો સેટેલાઇટ(FW-HAPS) સિસ્ટમ મંજૂર કરાઈ છે.
સેનામાં 9 ઘાતક હથિયારોનો સમાવેશ: 52 હજાર કરોડની સંરક્ષણ ડીલને મંજૂરી
નીતા અંબાણીને ફ્લોરિડામાં બે પ્રતિષ્ઠિત સન્માન એનાયત
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને અમેરિકાના ફ્લોરિડામાં યોજાયેલા એક વિશેષ સમારોહમાં બે મોટા સન્માન પ્રાપ્ત થયા છે. તેમને 'અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન' (AAPI) દ્વારા 'AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર હેલ્થકેર, શિક્ષણ, રમતગમત અને સામાજિક વિકાસમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે અપાયો છે. આ ઉપરાંત, ટેમ્પા શહેરના મેયર દ્વારા તેમના સામાજિક કાર્યોની કદર રૂપે 'કી ટુ ધ સિટી ઓફ ટેમ્પા' સન્માન પણ આપવામાં આવ્યું.
નીતા અંબાણીને ફ્લોરિડામાં બે પ્રતિષ્ઠિત સન્માન એનાયત
રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનો કેસ કરવાનો હુંકાર
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રામ મંદિરના દાનમાં કથિત અનિયમિતતા અને તેના દુરુપયોગના મુદ્દે ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે દાવો કર્યો કે તેમના દ્વારા અપાયેલા દાનની ચોરી થઈ છે અને આ મામલે ચંપત રાય તથા અનિલ મિશ્રાને બચાવવામાં આવી રહ્યા છે. દિગ્વિજય સિંહે જાહેરાત કરી કે તેઓ 5-6 જુલાઈના રોજ અયોધ્યા જઈને પોતાના વકીલ દ્વારા કેસ દાખલ કરશે અને ટ્રસ્ટીઓને જેલમાં મોકલવાની માંગ કરશે. આ ઉપરાંત, તેમણે મહાકાલ મંદિરના દાન અંગે પણ શંકા વ્યક્ત કરી.
રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનો કેસ કરવાનો હુંકાર
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની ચર્ચા, સંજૂ અને તિલક પર દબાણ વધ્યું
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T-20 મેચમાં માત્ર સિરીઝ લીડ જ નહીં, ટીમ ઈન્ડિયામાં વધતી હરીફાઈ પણ ચર્ચામાં છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની હાજરીએ સંજુ સેમસન અને તિલક વર્મા જેવા બેટ્સમેનો પર દબાણ વધાર્યું છે. સંજુએ પ્રથમ T-20 માં માત્ર 1 રન બનાવ્યો હતો, તેથી તેની દરેક ઇનિંગ હવે 'ઓડિશન' જેવી છે. તિલક વર્માનો મિડલ ઓવરમાં સ્ટ્રાઈક રેટ ચિંતાનો વિષય છે. વૈભવને ભારતીય ક્રિકેટનો આગામી મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે, જેણે ડોમેસ્ટીક અને IPLમાં નિડર પ્રદર્શન કર્યું છે. અભિષેક શર્માના સતત આક્રમક પ્રદર્શનથી પણ હરીફાઈ વધી છે.
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની ચર્ચા, સંજૂ અને તિલક પર દબાણ વધ્યું
આતંકવાદ બંધ ન થાય સુધી કોઈ ચર્ચા નહીં થાય, સિંધુ જળ કરાર પર ભારતનો પાકિસ્તાનને જવાબ
ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરહદપારનો આતંકવાદ બંધ થયા વિના સિંધુ જળ સમજૂતી અંગે કોઈ ચર્ચા કે પુનઃસ્થાપન નહીં થાય. વિદેશ મંત્રાલયે ચીન-મ્યાંમાર-બાંગ્લાદેશ આર્થિક કોરિડોર પર પણ ભારત રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે સતત નજર રાખી રહ્યું હોવાનું જણાવ્યું. ઉપરાંત, પાકિસ્તાનના અફઘાનિસ્તાન પરના હવાઈ હુમલાની નિંદા કરીને મહિલાઓ અને બાળકો સહિત નિર્દોષોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને અફઘાનિસ્તાનને માનવીય સહાય તથા વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી.
આતંકવાદ બંધ ન થાય સુધી કોઈ ચર્ચા નહીં થાય, સિંધુ જળ કરાર પર ભારતનો પાકિસ્તાનને જવાબ
ઇન્સ્ટાગ્રામ પર ચાઇલ્ડ એબ્યુઝ મટિરિયલ પ્રમોશન?
ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર Child Abuse Material (CSAM) ને પ્રોત્સાહન આપતી પેઇડ જાહેરાતો ચાલતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. "Rape Video" અને "Child Video" જેવી વાંધાજનક જાહેરાતો દ્વારા યુઝર્સને Telegram ચેનલો પર રીડાયરેક્ટ કરવામાં આવતા હતા, જ્યાં આ કન્ટેન્ટ નજીવી કિંમતે વેચાઈ રહ્યું હતું. ઇન્સ્ટાગ્રામના "કમ્યુનિટી ગાઇડલાઇન્સ" નું ઉલ્લંઘન નથી કરતી તેવા દાવાએ તેની મોડરેશન ટેકનોલોજી પર પ્રશ્નો ઊભા કર્યા છે. Meta એ કેટલીક જાહેરાતો ડિસેબલ કરી અને એકાઉન્ટ્સ સસ્પેન્ડ કર્યા હોવાનું જણાવ્યું છે.
ઇન્સ્ટાગ્રામ પર ચાઇલ્ડ એબ્યુઝ મટિરિયલ પ્રમોશન?
ગુજરાત બોર્ડ ધો. 10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 (SSC), ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. SSCનું 33.05%, સામાન્ય પ્રવાહનું 60.86% અને વિજ્ઞાન પ્રવાહનું 27.36% પરિણામ આવ્યું છે. SSC પૂરક પરીક્ષામાં 1,21,439 પરીક્ષાર્થી નોંધાયા હતા, જેમાંથી 30,845 પાસ થયા. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 40,233માંથી 20,658 વિદ્યાર્થીઓ પાસ થયા, અને વિજ્ઞાન પ્રવાહમાં 16,120માંથી 4,411 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ગુજરાત બોર્ડ ધો. 10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર
વેનેઝુએલા ભૂકંપ પીડિતો માટે ભારતીય સેના 'ભીષ્મ ક્યુબ્સ' સાથે સહાય
વેનેઝુએલામાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ, ભારતીય સેના 'ઓપરેશન એમિસ્ટાડ' હેઠળ મદદ માટે ખડેપગે છે. રાજધાની કારાકાસમાં 24 કલાક કાર્યરત ફિલ્ડ હોસ્પિટલ શરૂ કરાઈ છે, જ્યાં દર્દીઓને મફત દવા, સારવાર અને એમ્બ્યુલન્સ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ભારતીય વાયુસેના C-17 ગ્લોબમાસ્ટર વિમાનો દ્વારા 66 ટન રાહત સામગ્રી, જેમાં દવાઓ અને અદ્યતન તબીબી ઉપકરણો સામેલ છે, તે મોકલાઈ છે. ખાસ કરીને, ભારતે સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવેલા બે 'ભીષ્મ ક્યુબ્સ' મોકલ્યા છે, જે પોર્ટેબલ અને મોડ્યુલર ઇમરજન્સી હોસ્પિટલ છે. સ્થાનિક લોકો ભારતના આ માનવતાવાદી અભિગમની પ્રશંસા કરી રહ્યા છે.
વેનેઝુએલા ભૂકંપ પીડિતો માટે ભારતીય સેના 'ભીષ્મ ક્યુબ્સ' સાથે સહાય
5 વર્ષથી ટીમ ઈન્ડિયામાં, છતાં અભિમન્યૂ ઈશ્વરનને ટેસ્ટ ડેબ્યૂની રાહ
ક્રિકેટ જગતમાં અભિમન્યૂ ઈશ્વરનની ચર્ચા છે, જે 5 વર્ષથી ભારતીય ટેસ્ટ ટીમનો હિસ્સો હોવા છતાં ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. 2021 માં પ્રથમ વખત ટીમમાં પસંદગી પામેલા અભિમન્યૂ, રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓના કારણે તક મેળવી શક્યા ન હતા. ત્યારથી, તેઓ અનેક સિરીઝમાં ટીમનો ભાગ રહ્યા છે, પરંતુ અંતિમ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યા નથી. આ દરમિયાન 17 નવા ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યૂ કરી લીધું છે. ઘરેલું ક્રિકેટમાં શાનદાર આંકડા ધરાવતા અભિમન્યૂને હજી પણ પ્રથમ ટેસ્ટ કેપની આશા છે.
5 વર્ષથી ટીમ ઈન્ડિયામાં, છતાં અભિમન્યૂ ઈશ્વરનને ટેસ્ટ ડેબ્યૂની રાહ
લોકશાહી જોખમમાં? INDIA ગઠબંધનનો ચીફ જસ્ટિસને પત્ર
INDIA bloc એ ભારતના ચીફ જસ્ટિસ (CJI) ને એક અત્યંત મહત્ત્વનો પત્ર લખીને દેશની ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ અને હેરાફેરી થતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે ચેતવણી આપી કે જો ન્યાયતંત્ર આ ચિંતાઓને ધ્યાનમાં નહીં લે, તો તે દેશમાં 'પ્રજાસત્તાક વ્યવસ્થાના સંપૂર્ણ પતન' સમાન ગણાશે. આ અસાધારણ પગલું લોકશાહી જોખમમાં હોવાથી ભર્યું છે. 23 વિપક્ષી નેતાઓ અને એક અપક્ષ સાંસદની સહીવાળા આ પત્રમાં ન્યાયતંત્રને આ ગંભીર મુદ્દાઓ પર વિચાર કરવા વિનંતી કરાઈ છે. વિપક્ષે મુખ્યત્વે ચૂંટણી પંચ અને ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના વલણ સામે આક્ષેપ કર્યો છે.
લોકશાહી જોખમમાં? INDIA ગઠબંધનનો ચીફ જસ્ટિસને પત્ર
ધારાસભ્ય અનિતા રાધાકૃષ્ણનની ધરપકડ, CM વિજય અને સ્ટાલિનના પ્રતિક્રિયા
DMK MLA અનિતા રાધાકૃષ્ણનની મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી. મુખ્યમંત્રી જોસેફ વિજય વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે IPC ની કલમ 352 અને 353(2) હેઠળ ગુનો નોંધાયો છે. પૂર્વ મુખ્યમંત્રી સ્ટાલિને આ કાર્યવાહીની ટીકા કરી, જણાવ્યું કે રાજ્ય સરકાર વિપક્ષી નેતાઓની ધરપકડમાં ઝડપી છે. DMK સાંસદ કનિમોઝીએ પણ આ નીતિઓની નિંદા કરી. આ દરમિયાન AIADMK ના કેટલાક નેતાઓ TVK માં જોડાયા.
ધારાસભ્ય અનિતા રાધાકૃષ્ણનની ધરપકડ, CM વિજય અને સ્ટાલિનના પ્રતિક્રિયા
PFના 31 લાખથી વધુ નિષ્ક્રિય ખાતાઓ: ₹9,330 કરોડ ફસાયા, 3 નવી IIT બની જાય એટલી રકમ
દેશમાં પ્રોવિડન્ટ ફંડ (PF)ના 31 લાખથી વધુ ખાતા લાંબા સમયથી નિષ્ક્રિય પડ્યા છે, જેમાં કર્મચારીઓના ₹9,330 કરોડથી વધુની રકમ ફસાયેલી છે. આટલી મોટી રકમમાંથી દેશમાં 3 નવી IIT આરામથી બની શકે છે. એક નવી IIT બનાવવા પાછળ આશરે ₹2,934 કરોડનો ખર્ચ થાય છે. EPFOના આંકડા મુજબ 31 માર્ચ 2026 સુધીમાં 30,91,862 નિષ્ક્રિય ખાતા હતા, જે ગયા વર્ષ કરતાં નજીવા ઓછા છે. રકમ પણ ₹10,181 કરોડથી ઘટીને ₹9,330 કરોડ થઈ છે.
PFના 31 લાખથી વધુ નિષ્ક્રિય ખાતાઓ: ₹9,330 કરોડ ફસાયા, 3 નવી IIT બની જાય એટલી રકમ
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી દિશા: IIT ગાંધીનગરમાં ‘સમર્થ’ કેન્દ્રનો શુભારંભ
રૂ.190 કરોડના ભંડોળ સાથે, IIT ગાંધીનગર ખાતે ‘સમર્થ’ (સિલિકોન એન્ડ એડવાન્સ્ડ સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ) ની સ્થાપના થવાની છે. આધુનિક સંશોધન અને ઉદ્યોગ-લક્ષી તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ કેન્દ્ર આગામી પાંચ વર્ષમાં 10,000 થી વધુ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને પ્રોફેશનલ્સને તાલીમ આપશે. ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અને ગુજરાતને હબ તરીકે વિકસાવવાના PM નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાનો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય છે.
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી દિશા: IIT ગાંધીનગરમાં ‘સમર્થ’ કેન્દ્રનો શુભારંભ
ચાલતી ઈ-રિક્ષા બંધ કરી દેતી ચાઈનીઝ એપ વિરુદ્ધ સરકારની કાર્યવાહી!
કેન્દ્ર સરકારે દેશમાં ઇ-રિક્ષા ચાલકો અને નાગરિકોની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સડક પર દોડતી ઇ-રિક્ષાને દૂરથી બંધ કરી શકતી વિવાદાસ્પદ ચાઇનીઝ એપ્લિકેશન 'BAT BMS' પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. IT મંત્રાલયે ગૂગલ અને એપલને તેમના પ્લેટફોર્મ પરથી આ એપ તાત્કાલિક હટાવવા નિર્દેશ આપ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ સરકારે આ પગલું ભર્યું છે.
ચાલતી ઈ-રિક્ષા બંધ કરી દેતી ચાઈનીઝ એપ વિરુદ્ધ સરકારની કાર્યવાહી!
ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા!
દેશની સુરક્ષાને જોખમમાં મૂકતા એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા 8 આતંકીઓને સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડ્યા છે. આ આતંકીઓ ગુજરાતમાં સંગઠનના નેટવર્કને મજબૂત કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાના ઇરાદાથી સક્રિય હતા. તેમને ગુપ્ત માહિતીના આધારે અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પકડવામાં આવ્યા છે. આ ઘટના બાદ બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે.
ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા!
ધ્રુવ રાઠીના વિવાદાસ્પદ વીડિયો પર Delhi High Court નું કડક વલણ
ધ્રુવ રાઠીના એક વિવાદાસ્પદ YouTube વીડિયો અંગે Delhi High Court એ મોટો આદેશ આપ્યો છે. Court એ કેન્દ્ર સરકારની Grievance Appellate Committee (GAC) ને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ વીડિયોને પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ કરતી અપીલ પર આગામી 15 દિવસમાં પોતાનો અંતિમ નિર્ણય સંભળાવે. Court એ સ્પષ્ટ કર્યું કે આ આદેશની અવગણના ગંભીર ગણાશે. અરજદારનો આરોપ છે કે ધ્રુવ રાઠીએ વીડિયોમાં હિન્દુ ધર્મના દેવો વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી કરોડો લોકોની ધાર્મિક લાગણી દુભાવી છે.
ધ્રુવ રાઠીના વિવાદાસ્પદ વીડિયો પર Delhi High Court નું કડક વલણ
મેઘાલય હનીમૂન મર્ડર કેસ: સોનમ રઘુવંશી જેલ બહાર રહેશે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
મેઘાલયના હનીમૂન મર્ડર કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશી હાલ જેલની બહાર જ રહેશે. સુપ્રીમ કોર્ટે મેઘાલય હાઈકોર્ટ દ્વારા સોનમને આપવામાં આવેલા જામીન ઓર્ડરમાં તાત્કાલિક દખલ કરવાનો ઇનકાર કર્યો છે. જોકે, મેઘાલય પોલીસની અરજી પર સુનાવણી સ્વીકારી સોનમને નોટિસ પાઠવી છે. અદાલતે આરોપોને "ખૂબ જ ગંભીર" ગણાવ્યા છે અને આગામી ગુરુવારે વિગતવાર સુનાવણી હાથ ધરશે. સોનમ પર પતિ રાજા રઘુવંશીની આર્થિક લાભ માટે ભાડૂતી હત્યારાઓ દ્વારા હત્યા કરાવવાનો આરોપ છે.
મેઘાલય હનીમૂન મર્ડર કેસ: સોનમ રઘુવંશી જેલ બહાર રહેશે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
૪૦ વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ન્યૂઝીલેન્ડની ઐતિહાસિક મુલાકાત લેશે, જે છેલ્લા ૪૦ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. આ પ્રવાસ ૧૦ જુલાઈએ ઓકલેન્ડમાં શરૂ થશે અને ૧૧ જુલાઈએ સમાપ્ત થશે. આ મુલાકાતનું મુખ્ય કારણ તાજેતરમાં થયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) છે. આ કરાર હેઠળ, ન્યૂઝીલેન્ડથી આવતી ૯૫% વસ્તુઓ પરની ડ્યુટી નાબૂદ થશે અને ભારતથી ન્યૂઝીલેન્ડ જતા ૧૦૦% સામાનને ડ્યુટી ફ્રી એક્સેસ મળશે, જે બંને દેશોના આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.
૪૦ વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ!
મુંબઈમાં વૃક્ષો પડવાથી નેતાના પુત્રનું મોત!
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઠેર-ઠેર પાણી ભરાવા અને રસ્તાઓ પર ખાડા દેખાતા ન હોવાથી મેનહોલમાં પડીને લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. સતત વરસાદથી નબળા પડેલા વૃક્ષો રસ્તા પર પડવાથી રાહદારીઓ અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. મીરા-ભાયંદર વિસ્તારમાં નાળિયેરીનું ઝાડ પડતાં પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર રાહુલ પાટીલનું મોત થયું. આ પહેલા મુંબઈના ચેમ્બુર (પૂર્વ) માં પીપળાનું ઝાડ યુનિવર્સલ સ્કૂલની બસ પર પડતાં 11 વર્ષના વિદ્યાર્થી વિહાન શ્રીવાસ્તવનું મોત થયું હતું.
મુંબઈમાં વૃક્ષો પડવાથી નેતાના પુત્રનું મોત!
રામ મંદિર દાન ચોરી: 'ભાગ બટાઈ'નો ખુલાસો, ટિન્નુ યાદવ મુખ્ય ખેલાડી
રામ મંદિરના દાન ચોરી કેસમાં નવી કડીઓ સામે આવી છે, જેમાં 'ભાગ બટાઈ' અને મુખ્ય આરોપી ટિન્નુ યાદવની ભૂમિકા સ્પષ્ટ થઈ રહી છે. SITની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે, દાનની રકમની વહેંચણી માટે આરોપીઓ વચ્ચે વોટ્સએપ પર ચેટ થતી હતી. આ ઉપરાંત, વ્હીલચેર ચાલકો પાસે પણ મોટી સંપત્તિ હોવાનું જણાયું છે, જેના કારણે તેમની તપાસ પણ શરૂ થઈ રહી છે.
રામ મંદિર દાન ચોરી: 'ભાગ બટાઈ'નો ખુલાસો, ટિન્નુ યાદવ મુખ્ય ખેલાડી
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની અટકળો: ગડકરીનું પ્રમોશન, બે દિગ્ગજોનું પત્તું કપાશે
મોદી સરકારની કેબિનેટમાં ટૂંક સમયમાં મોટો ફેરબદલ થવાની અટકળો તેજ બની છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને નવી અને મોટી જવાબદારી સોંપાઈ શકે છે, જેમાં એક કરતાં વધુ મંત્રાલયોનો સમાવેશ થવાની શક્યતા છે. હાલમાં તેઓ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય સંભાળી રહ્યા છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સંગઠનમાં નવી જવાબદારી મળી શકે છે. આ ફેરફાર મોન્સૂન સત્ર પહેલા થઈ શકે છે. RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ અને રાઘવ ચઢ્ઢા જેવા નવા ચહેરાઓ કેબિનેટમાં આવી શકે છે. હરદીપ સિંહ પુરી અને રવનીત સિંહ બિટ્ટુ જેવા મંત્રીઓ બહાર થઈ શકે છે.
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની અટકળો: ગડકરીનું પ્રમોશન, બે દિગ્ગજોનું પત્તું કપાશે
મિડલ ફિંગર બતાવી સિયાએ કેમેરા સામે કર્યો ઇશારો!
ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડમાં મુખ્ય આરોપી સિયા ગોયલનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પોલીસ તપાસ માટે લઈ જતી વખતે મીડિયા કેમેરા સામે મિડલ ફિંગર બતાવતી જોવા મળે છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સિયા અને ચેતને લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારવાની ઘટનાનું અગાઉથી રિહર્સલ કર્યું હતું. કેસની વધુ સત્યતા બહાર લાવવા માટે પોલીસે બંને આરોપીઓના પોલીગ્રાફ ટેસ્ટની મંજૂરી મેળવવા કોર્ટમાં અરજી કરી છે.
મિડલ ફિંગર બતાવી સિયાએ કેમેરા સામે કર્યો ઇશારો!
સુરત પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓ બન્યા 'નાના ખેડૂત'!
સુરત મહાનગરપાલિકાની શાળાઓ ફક્ત શિક્ષણ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને સ્વસ્થ જીવનશૈલીના મૂલ્યો પણ સિંચી રહી છે. કતારગામની એક શાળામાં ઓર્ગેનિક ખેતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જ્યાં વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું અને તેમના હાથે બીજ વાવડાવી પ્રાયોગિક શિક્ષણ અપાયું. રાસાયણિક ખાતરના ગેરફાયદા સમજાવ્યા અને જૈવિક ખેતીના ફાયદા વર્ણવ્યા. વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખેતીના સિદ્ધાંતો, કુદરતી ખાતર, જમીન જાળવણી અને આરોગ્યલક્ષી ફાયદાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
સુરત પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓ બન્યા 'નાના ખેડૂત'!
હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી 9 લોકોના મોત!
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ અને ભૂસ્ખલનનો કહેર જોવા મળ્યો છે, જેના કારણે 9 લોકોના મોત થયા છે. રાજ્યના શિમલા, કાંગડા, લાહૌલ-સ્પીતિ અને ચંબા જિલ્લામાં જુદા જુદા અકસ્માતોમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 50થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. આ ઉપરાંત, 42 ટ્રાન્સફોર્મરને નુકસાન થવાથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. હવામાન વિભાગે કાંગડા અને મંડી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી 9 લોકોના મોત!
નાગરિકોનો અધિકાર: વિરોધ કરવો એ ગુનો નથી, હાઈકોર્ટનો પોલીસને સ્પષ્ટ નિર્દેશ
બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં રાજકીય કાર્યકર્તાના તડીપાર (જિલ્લાબદલી)ના આદેશને રદ કર્યો છે. કોર્ટે ટિપ્પણી કરી કે નાગરિકો સાથે 'ભારત સરકારના ગુલામો' જેવો વ્યવહાર ન કરી શકાય. જસ્ટિસ માધવ જામદારની બેન્ચે CAA અને જ્ઞાનવાપી મામલે સરકાર વિરુદ્ધ દેખાવો કરવા બદલ નોંધાયેલી FIRના આધારે કરાયેલી કાર્યવાહી સામે આ ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે 'ભાજપ સરકાર મુર્દાબાદ' જેવા નારા લગાવવા એ નાગરિકોનો અધિકાર છે અને આ મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ તડીપાર કરવાનો આધાર બની શકે નહીં.
નાગરિકોનો અધિકાર: વિરોધ કરવો એ ગુનો નથી, હાઈકોર્ટનો પોલીસને સ્પષ્ટ નિર્દેશ
ISRO મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. બેંગલુરુ સ્થિત ISRO મુખ્યાલયને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પોલીસ, ડોગ સ્ક્વોડ અને BDDS ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે, સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી અને આ ધમકી ફેક હોવાનું જણાયું છે. ઈમેલ મોકલનારની ઓળખ માટે તપાસ ચાલુ છે, અને સુરક્ષા એજન્સીઓએ ISRO અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે.
ISRO મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!
સિયા-ચેતને કેતનને ધક્કો મારવાની પ્રેક્ટિસ પુણેમાં કરી હતી
પુણેમાં બાંધકામ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યા કેસમાં, આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ કેતનને ખીણમાં ધકેલી દેવાની પ્રેક્ટિસ મે મહિનામાં કરી હતી. પોલીસ સિયાને તે જગ્યાએ લઈ ગઈ હતી. પુણે પોલીસે સિયા અને ચેતન ચૌધરીના પોલીગ્રાફ ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરી છે. આ પ્રેક્ટિસ લુલ્લાનગર વિસ્તારમાં એક ક્લબ પાસે ખુલ્લી જગ્યામાં કરાઈ હતી. પોલીસ કાવતરામાં અન્ય કોઈની સંડોવણીની પણ તપાસ કરી રહી છે, જેમાં ગોયલ પરિવાર અને મિત્તલ દંપતીની પૂછપરછ કરાઈ છે.
સિયા-ચેતને કેતનને ધક્કો મારવાની પ્રેક્ટિસ પુણેમાં કરી હતી
અમરનાથ યાત્રા આજથી શરૂ: પ્રથમ ટુકડી કાશ્મીર પહોંચી
આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે, જેમાં 57 દિવસ સુધી બાબા બર્ફાનીના દર્શન કરી શકાશે. 28 ઓગસ્ટ સુધી 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ 3,888 મીટરની ઊંચાઈ પર સ્થિત પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કરશે. જમ્મુ-કાશ્મીરના LG મનોજ સિન્હાએ પ્રથમ ટુકડીને જમ્મુના ભગવતી બેઝ કેમ્પથી બાલતાલ અને પહેલગામ માટે રવાના કરી. આ ટુકડીમાં 4,822 યાત્રાળુઓ 259 વાહનોમાં સુરક્ષા સાથે રવાના થયા. વરસાદને કારણે બાલતાલ રૂટ પર યાત્રા અટકાવવામાં આવી છે, અને દર 2 કિમીએ ઓક્સિજન બૂથ લગાવવામાં આવ્યા છે.
અમરનાથ યાત્રા આજથી શરૂ: પ્રથમ ટુકડી કાશ્મીર પહોંચી
નવી શિક્ષણ નીતિ: કાગળ પરની ક્રાંતિ અને વાસ્તવિકતાના પડકારો
ભારતમાં નવી શિક્ષણ નીતિ (NEP) કાગળ પર પ્રગતિશીલ અને કૌશલ્ય-આધારિત લાગે છે, જે ગોખણપટ્ટીની પરંપરાને બદલવા માંગે છે. જોકે, જમીની વાસ્તવિકતામાં અમલદારશાહીની જડ માનસિકતા, શિક્ષકોની તાલીમનો અભાવ, અને ભૌતિક માળખાની કમી જેવા અનેક અવરોધો છે. આ નીતિના સફળ અમલીકરણ માટે સરકારી તંત્ર, શિક્ષકો અને સમાજની જૂની વિચારધારામાં પરિવર્તન આવશ્યક છે.
નવી શિક્ષણ નીતિ: કાગળ પરની ક્રાંતિ અને વાસ્તવિકતાના પડકારો
સેમસનની ફ્લોપ ઈનિંગ્સ બાદ વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી પર દિનેશ કાર્તિકે આપ્યું મોટું નિવેદન
ઈંગ્લેન્ડ સામે પ્રથમ T20માં સંજૂ સેમસન ફરી નિષ્ફળ જતાં તેની ફોર્મ પર સવાલો ઉઠ્યા છે અને 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને તક આપવાની માંગ વધી છે. જોકે પૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકનું માનવું છે કે ટીમ મેનેજમેન્ટે ઉતાવળ ન કરવી જોઈએ અને અનુભવી સેમસનને વધુ તક આપવી જોઈએ. તેમણે વૈભવના ટેલેન્ટના વખાણ કરતાં કહ્યું કે પ્રદર્શનના આધારે જ ટીમમાં સ્થાન મળવું જોઈએ. હવે 4 જુલાઈની બીજી T20માં કોને તક મળે છે તેના પર સૌની નજર રહેશે.