રામ મંદિરમાં નોકરી માટે પણ કમિશનખોરી?
રામ મંદિરમાં નોકરી માટે પણ કમિશનખોરી?
Published on: 01st July, 2026

અયોધ્યા રામ મંદિરના દાનમાં થયેલી કથિત ગેરરીતિની તપાસમાં પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાની મુશ્કેલીઓ વધી છે. SITને શંકા છે કે તેમની ભલામણથી ભરતી થયેલા 125થી વધુ કર્મચારીઓની નિમણૂકમાં પણ ગેરરીતિ અને કમિશન લેવાયું હોઈ શકે છે. પોલીસે અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં CCTVથી બચીને દાનની રકમ બાથરૂમ મારફતે બહાર કાઢવાની પદ્ધતિ સામે આવી છે. અનિલ મિશ્રાની સંપત્તિ અને સમગ્ર ભરતી પ્રક્રિયાની પણ તપાસ ચાલી રહી છે.