વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું લાખો રૂપિયાની ઠગાઇ કરી, મેરેજના દિવસે જ મિત્ર ફરાર
વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું લાખો રૂપિયાની ઠગાઇ કરી, મેરેજના દિવસે જ મિત્ર ફરાર
Published on: 01st July, 2026

અમદાવાદમાં રહેતી 36 વર્ષીય વિધવા મહિલા ફેસબુક પર પરિચયમાં આવેલા મહેસાણાના યુવકની પ્રેમજાળમાં ફસાઈ હતી. આરોપીએ લગ્નનું ખોટું વચન આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને ધંધાના બહાને રૂ. 19.91 લાખ તેમજ 18 તોલા સોનાના દાગીના પડાવી લીધા. લગ્નના દિવસે કોર્ટમાંથી ફરાર થઈ જતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો. આરોપીના ભાઈએ પણ દાગીના ગિરો મૂક્યા હતા. પીડિતાની ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે બંને ભાઈઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.