સિંધુ જળ ઉપર પાક. ઉકળી ઊઠયું: બિલાવલ ભુટ્ટોએ ભારતને એટમબોમ્બની ધમકી આપી દીધી
સિંધુ જળ ઉપર પાક. ઉકળી ઊઠયું: બિલાવલ ભુટ્ટોએ ભારતને એટમબોમ્બની ધમકી આપી દીધી
Published on: 01st July, 2026

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારીએ સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને ધમકી આપતાં કહ્યું કે પાકિસ્તાનના જળ અધિકારો પર કોઈ પણ પ્રકારનો હુમલો દેશના અસ્તિત્વ પરનો હુમલો ગણાશે. તેમણે પાણી રોકવાના પ્રયાસોને પરમાણુ પ્રતિક્રિયાના કારણ તરીકે પણ ગણાવ્યા અને ગૌરવપૂર્ણ શાંતિની વાત કરી. બીજી તરફ, ભારતનું વલણ છે કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપતું હોવાથી સિંધુ જળ સંધિ સંબંધિત વિવાદ વધુ ગંભીર બન્યો છે.