મહારાષ્ટ્રના ભિવંડીમાં 4 માળની ઇમારત ધરાશાયી
મહારાષ્ટ્રના ભિવંડીમાં 4 માળની ઇમારત ધરાશાયી
Published on: 31st July, 2026

મુંબઈ નજીક ભિવંડીમાં 'કોહિનુર' નામની 4 માળની રિહાઇશી ઇમારત અચાનક ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે. 6 થી 7 લોકો હજુ કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે. NDRF, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય ચલાવી રહી છે. ઇમારતમાં રિપેરિંગ દરમિયાન 3 પિલર તોડવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું અનુમાન છે. વિચિત્ર અવાજ આવતાં મોટાભાગના રહેવાસીઓ સમયસર બહાર નીકળી ગયા હતા, જેનાથી મોટી જાનહાનિ ટળી.