વડોદરામાં વરસાદ બાદ પાણી નિકાલ માટે તંત્ર સક્રિય
વડોદરામાં વરસાદ બાદ પાણી નિકાલ માટે તંત્ર સક્રિય
Published on: 31st July, 2026

વડોદરા શહેરમાં વરસાદ થંભતા તંત્રને રાહત મળી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી તેજ કરવામાં આવી છે. બડામડી બાગ ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી વરસાદી સ્થિતિનું મોનીટરિંગ થઈ રહ્યું છે. સવારે બે કલાકમાં લગભગ 1.7 ઇંચ વરસાદ નોંધાયો છે. અધિકારીઓ અને ફિલ્ડ ટીમો પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા સક્રિય છે, તથા APS ખાતે ડ્રેનેજના પાણીના નિકાલની વ્યવસ્થા પણ કરાઈ રહી છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે આજવા અને પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવક શરૂ થઈ છે. વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરની સપાટી ભયજનક સ્તરથી નીચે છે.