GDP વૃદ્ધિદર પર ચર્ચા: પૂર્વ સચિવનો ૨.૬% દાવો, સરકારનો ૭.૮% બચાવ
GDP વૃદ્ધિદર પર ચર્ચા: પૂર્વ સચિવનો ૨.૬% દાવો, સરકારનો ૭.૮% બચાવ
Published on: 03rd September, 2026

પૂર્વ નાણાં સચિવ સુભાષ ગર્ગે જીડીપી વૃદ્ધિદર માત્ર ૨.૬% હોવાનો દાવો કરીને કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા હતા, જેના પગલે રાજકીય વિવાદ સર્જાયો છે. જોકે, કેન્દ્ર સરકારે આક્ષેપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે ભારતીય અર્થતંત્ર પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૭.૮%ના દરે વૃદ્ધિ પામ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું કે જૂના અને નવા આધાર વર્ષના આંકડાઓની સરખામણી એપલ અને ઓરેન્જની તુલના સમાન છે. દેશનું અર્થતંત્ર તેજીમાં છે અને આંકડા પારદર્શક છે.