અરેઠ-માંડવીના સરપંચોએ પ્રાંત અધિકારીને વિકાસના નિયમોમાં ફેરફાર કરવા રજૂઆત કરી
અરેઠ-માંડવીના સરપંચોએ પ્રાંત અધિકારીને વિકાસના નિયમોમાં ફેરફાર કરવા રજૂઆત કરી
Published on: 03rd September, 2026

અંધાત્રી(માંડવી) માં 16મા નાણાપંચની નવી માર્ગદર્શિકા હેઠળ ગ્રામ પંચાયતોના વિકાસ કાર્યોમાં આવતી અડચણોને લઈને અરેઠ અને માંડવી તાલુકાના સરપંચોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું. તેઓએ ગામડાઓના વિકાસ માટે વર્તમાન નિયમોમાં વ્યવહારિક ફેરફારની માંગ કરી છે. સરપંચોએ જણાવ્યું કે ગુજરાતના ગામોની ભૌગોલિક સ્થિતિ અને સ્થાનિક જરૂરિયાતો અલગ અલગ હોવા છતાં, એકસમાન માર્ગદર્શિકા યોગ્ય નથી. રૂપિયા 6 લાખ સુધીના કામોની મર્યાદા, GeM પોર્ટલ અને e-GramSwarajની જટિલ પ્રક્રિયાઓને કારણે વિકાસ કાર્યોમાં વિલંબ થઈ રહ્યો છે, જેનાથી ગ્રામજનો પર આર્થિક બોજ વધી રહ્યો છે.