દિલ્હીના રાજકારણ પર ગુજરાત ચૂંટણીની અસર
દિલ્હીના રાજકારણ પર ગુજરાત ચૂંટણીની અસર
Published on: 30th April, 2026

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજયની ગુંજ દિલ્હી સુધી સંભળાઈ છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ પ્રત્યક્ષ રીતે પ્રચારથી દૂર હોવા છતાં દરેક પળની વિગતો મેળવી રહ્યા હતા, જ્યારે દિલ્હી ભાજપ કાર્યાલયમાં વિજય ઉત્સવ મનાવાયો હતો. બીજી તરફ, રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની નિષ્ક્રિયતાને કારણે મળેલી હારથી ગાંધી પરિવારમાં કોઈ આશ્ચર્ય જોવા મળ્યું નથી. મુશ્કેલીઓમાં ઘેરાયેલા અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નબળા દેખાવથી નિરાશ થયા છે અને તેમણે માત્ર અંગત સાથીઓ સાથે જ મંત્રણા કરી છે.