215 કુલપતિઓએ પ્રિયંકાને લખ્યો પત્ર
215 કુલપતિઓએ પ્રિયંકાને લખ્યો પત્ર
Published on: 31st July, 2026

IIT મદ્રાસના ડાયરેક્ટર પ્રો. વી. કામકોટીને ગૌમૂત્ર નિષ્ણાત કહેવા બદલ દેશભરના 215 કુલપતિઓ અને શિક્ષણવિદોએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવાયું છે કે શિક્ષણવિદો પર જાહેરમાં ટિપ્પણી કરતી વખતે તથ્યો અને વ્યક્તિની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ. મતભેદ હોઈ શકે છે, પરંતુ મજાક ઉડાવવી યોગ્ય નથી. આ વિવાદ એન્ટી પેપર લીક બિલ પર થયેલી લોકસભા ચર્ચા દરમિયાન પ્રિયંકાના નિવેદનથી શરૂ થયો હતો. તેમણે નવી કમિટીમાં ગૌમૂત્ર નિષ્ણાતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.