ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન!
ભારત અને અમેરિકા વચ્ચે રેયર અર્થ મિનરલ્સ (કિંમતી ખનીજ)ની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવા માટે ઐતિહાસિક કરાર થયો છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન પરની આર્થિક નિર્ભરતા ઘટાડવાનો છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા (ક્વાડ દેશો) આ સેક્ટરમાં 20 અબજ ડોલરનું રોકાણ કરશે. વિદેશ મંત્રીઓએ જણાવ્યું કે, આ સહયોગ મહત્વપૂર્ણ ખનીજ પુરવઠા શૃંખલાને મજબૂત કરશે અને ચીનના વર્ચસ્વને પડકારશે, જે કટોકટી સમયે સમસ્યા ઊભી કરી શકે છે.
ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન!
ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં!
તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મમતા બેનર્જીના નેતૃત્વ સામે બળવો કરનાર 8 દિગ્ગજ નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બળવાખોર જૂથે મમતાને ચેરપર્સન પદેથી હટાવી અરૂપ રોયને નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા અને નવી કાર્યકારિણીની જાહેરાત કરી હતી. બળવાખોરોનો દાવો છે કે તેમને 60 ધારાસભ્યો અને 20 સાંસદોનું સમર્થન છે. આ ઘટનાથી TMCમાં મોટા ભંગાણની શક્યતા ઉભી થઈ છે અને પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ગરમાવો વધ્યો છે.
ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં!
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં કરો રોકાણ, વ્યાજથી જ થશે 4 લાખથી વધુની કમાણી
જોખમ વગર સુરક્ષિત રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ સ્કીમ સારો વિકલ્પ છે. 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક આ ખાતું ખોલાવી શકે છે, જ્યારે સગીર માટે વાલી ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 1થી 5 વર્ષ માટે 6.9%થી 7.5% સુધીનું વ્યાજ મળે છે. 5 વર્ષની મુદત માટે રોકાણ કરવાથી આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીની ટેક્સ છૂટ પણ મળે છે. આ યોજના નિશ્ચિત અને સુરક્ષિત વળતર આપતી FD જેવી બચત યોજના છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં કરો રોકાણ, વ્યાજથી જ થશે 4 લાખથી વધુની કમાણી
FASTag યૂઝર્સનો ઝટકો, આ હાઇવે અને એક્સપ્રેસવે પર કામ નહીં આવે એન્યૂઅલ પાસ!
દેશભરમાં ટોલ ચુકવણી સરળ બનાવવા માટે શરૂ કરાયેલ FASTag વાર્ષિક પાસ મુસાફરો માટે કેટલીક જગ્યાએ ઉપયોગી સાબિત થતો નથી. ₹3,000નો આ પાસ એક વર્ષ અથવા 200 ટ્રિપ્સ સુધી માન્ય છે, પરંતુ મુંબઈ-પુણે એક્સપ્રેસવે, સમૃદ્ધિ મહામાર્ગ, યમુના એક્સપ્રેસવે, આગ્રા-લખનૌ એક્સપ્રેસવે સહિત અનેક રાજ્ય સંચાલિત માર્ગો પર માન્ય નથી. કારણ કે આ માર્ગોની અલગ ટોલ સિસ્ટમ છે. આવા રૂટ પર ટોલની રકમ સીધી નિયમિત FASTag એકાઉન્ટમાંથી કપાશે. તેથી વાર્ષિક પાસ ધરાવતા મુસાફરોએ પણ પોતાના FASTagમાં પૂરતું બેલેન્સ જાળવવું જરૂરી છે.
FASTag યૂઝર્સનો ઝટકો, આ હાઇવે અને એક્સપ્રેસવે પર કામ નહીં આવે એન્યૂઅલ પાસ!
ભયાનક 'ગોડઝિલા' જેવો અલ નિનો સક્રિય! 150 વર્ષનો રેકોર્ડ તૂટશે?
પ્રશાંત મહાસાગરમાં ઝડપથી વિકસી રહેલા શક્તિશાળી ‘અલ નીનો’ અંગે નાસાએ ચેતવણી આપી છે. સેટેલાઇટ ડેટા મુજબ સમુદ્રની સપાટી નીચે મોટા પ્રમાણમાં ગરમ પાણી જમા થઈ રહ્યું છે, જેના કારણે દરિયાના તાપમાન અને જળસ્તરમાં વધારો થયો છે. વૈજ્ઞાનિકો તેને 1997ના ‘ગોડઝિલા અલ નીનો’ જેવી ગંભીર ઘટના ગણાવી રહ્યા છે. આની અસરથી વિશ્વભરમાં તાપમાન વધવાની અને વરસાદની પેટર્ન બદલાવાની શક્યતા છે. ભારતમાં કાળઝાળ ગરમી, નબળું ચોમાસું અને ખેતી તેમજ અર્થતંત્ર પર નકારાત્મક અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ભયાનક 'ગોડઝિલા' જેવો અલ નિનો સક્રિય! 150 વર્ષનો રેકોર્ડ તૂટશે?
ચૈતર વસાવાને કાવતરાથી સજા: કેજરીવાલનો ભાજપ પર આરોપ
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 આરોપીઓને નર્મદા જિલ્લામાં વન વિભાગની જમીન સંબંધિત જૂના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ AAP નેતાઓ અને કોંગ્રેસે ભાજપ સરકાર પર કાવતરાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આને 'ED પાર્ટી'નું ષડયંત્ર ગણાવી કહ્યું કે આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો ભાજપને જવાબ આપશે. AAP હાઈકોર્ટમાં અપીલ કરશે.
ચૈતર વસાવાને કાવતરાથી સજા: કેજરીવાલનો ભાજપ પર આરોપ
NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાવડા 40 લાખની ડીલ
બિહારમાં નીટ-યુજી રી-એક્ઝામ દરમિયાન સોલ્વર ગેંગનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. લખીસરાઈના પરીક્ષા કેન્દ્રમાં બાયોમેટ્રિક ચેકિંગ દરમિયાન અસલી ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપતો નકલી વિદ્યાર્થી રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે નકલી અને અસલી ઉમેદવાર સહિત કુલ 14 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે પરીક્ષા આપવા માટે 30થી 40 લાખ રૂપિયાની ડીલ થઈ હતી. આ મામલાના તાર નાલંદાની પાવાપુરી મેડિકલ કોલેજ સુધી પહોંચ્યા છે, જ્યાં મુખ્ય શંકાસ્પદ સહિત ત્રણ MBBS વિદ્યાર્થીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.
NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાવડા 40 લાખની ડીલ
AAPએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા
દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્તભંગ બદલ ત્રણ ચૂંટાયેલા સભ્યો સામે કડક કાર્યવાહી કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન પક્ષના વ્હીપનો અનાદર કરીને ગેરહાજર રહેનાર દિનેશભાઈ બિલવાળ, કપિલાબેન માવી અને અંબાબેન ચરપોટને 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદ તથા તમામ સંગઠનાત્મક જવાબદારીઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખની સૂચના બાદ આ નિર્ણય લેવાયો છે. સાથે જ તમામ પદાધિકારીઓને આ સભ્યોને પક્ષના સત્તાવાર અને સોશિયલ મીડિયા ગ્રૂપોમાંથી તાત્કાલિક દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.
AAPએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા
લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો... મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ
લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં એનિમેશન સેન્ટર અને કોચિંગ ક્લાસના ૧૫ લોકોના મોત થયા છે. બિલ્ડિંગમાં અવરજવર માટે માત્ર એક જ રસ્તો હોવાથી અંદર હાજર લોકો ફસાઈ ગયા હતા અને કાળો ધુમાડો ફેલાતા મોતનો કૂવો બની ગઈ હતી. જીવ બચાવવા લોકોએ બારીઓમાંથી છલાંગ લગાવી હતી. ફાયર બ્રિગેડની ૧૯ ગાડીઓએ ભારે જહેમત બાદ દીવાલમાં ગાબડું પાડી રેસ્ક્યુ કર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે રહેણાંક પરમિશન વાળી આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો કે એનઓસી (NOC) નહોતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો... મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ
‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ.
દિલ્હીના જંતર-મંતર મેદાન પર NEET-UG પેપર લીક વિવાદ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે કૉકરોચ જનતા પાર્ટી (CJP) નું વિરોધ પ્રદર્શન ચોથા દિવસે પણ ચાલુ રહ્યું છે. CJPએ અનોખો વિરોધ નોંધાવતા ‘ડાયપર અ ડે, કીપ્સ લીક્સ અવે’ નારા સાથે ‘ડાયપર દાન કરો’ અભિયાન શરૂ કર્યું છે. દેખાવકારોએ સવાલ ઉઠાવ્યો કે જો ₹૧૨નું ડાયપર લીકેજ ન થવાની ગેરંટી આપી શકે, તો NTA પેપર લીક કેમ ન અટકાવી શકે? પ્રદર્શનકારીઓએ પોલીસ પર જગ્યા મર્યાદિત કરવાનો આક્ષેપ કર્યો છે અને મંત્રીના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે.
‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ.
'તેનો પગ લપસી ગયો હતો...' મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક.
મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા પરથી ૨૪ વર્ષીય કેતન અગ્રવાલના અકસ્માતથી મોતના કેસમાં પોલીસે તેની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરી દ્વારા કરાયેલી હત્યાનો પર્દાફાશ કર્યો છે. આગામી મહિને લગ્ન હોવા છતાં, ૧૯ જૂને સિયાના જન્મદિવસ પર બંનેએ કાવતરું રચી કેતનને ૩૫૦ ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો. અગાઉ સિયાએ બાલી ટ્રિપ કેન્સલ કરવા પોતાનો પાસપોર્ટ ફાડી નાખ્યો હતો અને કેતનને મારવાના બે અસફળ પ્રયાસો પણ કર્યા હતા. પોલીસે સેલ્ફી લેતા અકસ્માતની ખોટી વાર્તાને નકારીને ટેકનિકલ પુરાવા અને કોલ ડિટેઇલ્સના આધારે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.
'તેનો પગ લપસી ગયો હતો...' મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક.
મુંબઈમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે થશે પધરામણી?
દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર છે. આગામી 2-3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. મુંબઈમાં 12 દિવસના વિલંબ બાદ ચોમાસાનું આગમન થયું અને ધોધમાર વરસાદ શરૂ થયો. તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે. મુંબઈ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. દેશમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 43% ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી 2-3 દિવસમાં ચોમાસું પહોંચશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 3-4 દિવસ પછી અને દિલ્હી, હરિયાણા, પંજાબમાં જુલાઈ સુધી રાહ જોવી પડશે.
મુંબઈમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે થશે પધરામણી?
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ.
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોમવારની સરખામણીએ આજે ચાંદી ₹૧૦,૫૬૬ ઘટીને ₹૨.૨૭ લાખ પ્રતિ કિલો અને ૨૪ કેરેટ સોનું ₹૨,૫૨૨ ઘટીને ₹૧.૪૫ લાખ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયું છે. ચાલુ મહિનામાં સોનામાં ₹૧૦,૭૪૮ અને ચાંદીમાં ₹૩૬,૦૧૫ નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સરકારે વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઘટાડવા માટે સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી ૬% થી વધારીને ફરી ૧૫% કરી દીધી છે, જેમાં કસ્ટમ ડ્યુટી અને સેસનો સમાવેશ થાય છે.
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ.
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે UAE અને ઇઝરાયલ સાથે ભારતના મહત્વના સંરક્ષણ સોદા
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. UAE ને બ્રહ્મોસ મિસાઈલ પૂરી પાડવા અને ઇઝરાયલ સાથે સંયુક્ત ઉત્પાદન ભાગીદારી જેવી ડીલ, ભારતના રક્ષા નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. ભૂતકાળમાં આયાતકાર રહેલું ભારત હવે વિશ્વભરમાં શસ્ત્રોના વિશ્વસનીય સપ્લાયર તરીકે ઉભરી રહ્યું છે. આ વ્યૂહાત્મક પગલાં ભારતીય સંરક્ષણ ઉદ્યોગ માટે નવા દ્વાર ખોલી રહ્યા છે, જે તેને વૈશ્વિક સ્તરે એક મજબૂત ખેલાડી બનાવે છે.
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે UAE અને ઇઝરાયલ સાથે ભારતના મહત્વના સંરક્ષણ સોદા
IPLમાં મેગા ટ્રેડ: પંતની દિલ્હીમાં 'ઘરવાપસી', કુલદીપ યાદવ LSGમાં
IPL 2026 ની સમાપ્તિ બાદ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે એક મોટા ટ્રેડ ડીલ થઈ છે. આ ડીલ હેઠળ, સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત દિલ્હી કેપિટલ્સમાં પાછા ફર્યા છે, જ્યારે દિલ્હીના સ્પિનર કુલદીપ યાદવ હવે લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમશે. પંત 15 કરોડ રૂપિયામાં દિલ્હી સાથે જોડાયો છે, જ્યારે કુલદીપ યાદવ 13.5 કરોડ રૂપિયામાં LSGનો ભાગ બન્યો છે. આ ટ્રેડ બંને ટીમો માટે ફાયદાકારક માનવામાં આવે છે.
IPLમાં મેગા ટ્રેડ: પંતની દિલ્હીમાં 'ઘરવાપસી', કુલદીપ યાદવ LSGમાં
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ!
નર્મદા જિલ્લાના દેડિયાપાડા AAP MLA ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 લોકો વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવાના કેસમાં દોષિત ઠેરવાયા છે. રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ નિર્ણયથી તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે. ચૈતર વસાવા પર સરકારી ફરજમાં રૂકાવટ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ સાબિત થયો છે. કાયદા મુજબ, 2 વર્ષથી વધુની જેલ સજા પર ધારાસભ્ય પદ રદ થાય છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ!
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ અભિયાન હેઠળ ૩૯૦ બાળકોનું નામાંકન થયું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના જીવનનું ઉદાહરણ આપી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આ અભિયાનથી ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે અને નામાંકન દર વધ્યો છે. ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ દીકરીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થયું અને વૃક્ષારોપણ કરાયું.
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
આ કંપનીએ 21,000 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા!
અમેરિકન ટેક કંપની ઓરેકલે AI અને ઓટોમેશનના વધતા ઉપયોગ વચ્ચે 2026 નાણાકીય વર્ષમાં વિશ્વભરમાં આશરે 21,000 કર્મચારીઓની છટણી કરી છે, જેના કારણે કંપનીના કુલ વર્કફોર્સમાં 13 ટકા ઘટાડો નોંધાયો છે. ઓરેકલ હવે AI અને ક્લાઉડ કમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ઝડપથી વિસ્તરણ કરી રહી છે અને આ માટે 70 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપનીએ ચેતવણી આપી છે કે AI ટેકનોલોજીના વધતા ઉપયોગથી ભવિષ્યમાં વધુ નોકરીઓ પર અસર થઈ શકે છે, કારણ કે અનેક કાર્યો હવે ઓટોમેશન દ્વારા પૂર્ણ થઈ રહ્યા છે.
આ કંપનીએ 21,000 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા!
Tata એ રજૂ કર્યું નવું મલ્ટી-સેક્ટર પેસિવ ફંડ ઓફ ફંડ્સ!
Tata એસેટ મેનેજમેન્ટે એક નવું ફંડ ઓફરિંગ (NFO), Tata Multi-Sector Passive FoF લોન્ચ કર્યું છે. આ ફંડ રોકાણકારોને એક જ જગ્યાએ અનેક સેક્ટર્સમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે. તે ઓપન-એન્ડેડ સ્કીમ છે, જે રોકાણકારોને લવચીકતા પ્રદાન કરે છે. આ ફંડ સીધા શેરોમાં રોકાણ કરવાને બદલે વિવિધ ક્ષેત્ર-કેન્દ્રિત ઇન્ડેક્સ ફંડ્સ અને ETF માં રોકાણ કરશે. ઓછી કિંમત અને ડાયનેમિક એપ્રોચ તેના મુખ્ય ફાયદા છે, જે રોકાણકારોને બજારના વલણોના આધારે લાભ મેળવવામાં મદદ કરશે.
Tata એ રજૂ કર્યું નવું મલ્ટી-સેક્ટર પેસિવ ફંડ ઓફ ફંડ્સ!
મારુતિ e-Vitara ઇલેક્ટ્રિક કાર થઈ મોંઘી!
મારુતિ સુઝુકી e-Vitara ઇલેક્ટ્રિક SUV ની કિંમતમાં વધારો થયો છે, ખાસ કરીને ટોપ વેરિઅન્ટ્સ વધુ મોંઘા થયા છે. બેઝ Delta વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત ₹15.99 લાખ યથાવત છે. Zeta વેરિઅન્ટ ₹30,000 વધીને ₹17.49 લાખ અને Alpha વેરિઅન્ટ ₹20,000 વધીને ₹19.79 લાખ થયું છે. Battery-as-a-Service (BaaS) મોડેલમાં પણ ભાવ વધ્યા છે. Delta BaaS ₹10.99 લાખ, Zeta BaaS ₹11.99 લાખ અને Alpha BaaS ₹14.29 લાખ થયું છે.
મારુતિ e-Vitara ઇલેક્ટ્રિક કાર થઈ મોંઘી!
લાદેનને શરણ આપનારાઓ પર આટલો ભરોસો? જેડી વેન્સને ભારે પડ્યો પાકિસ્તાન પ્રેમ!
સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલ મંત્રણા દરમિયાન અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ દ્વારા પાકિસ્તાન પ્રત્યેના પ્રેમના નિવેદનથી મોટો વિવાદ સર્જાયો છે. વેન્સે પાકિસ્તાની આર્મી ચીફને મહત્વની વ્યક્તિ ગણાવતાં અમેરિકાના બે રિપબ્લિકન સાંસદો, રિક સ્કોટ અને ટિમ શીહી, ભારોભાર નારાજ થયા છે. સાંસદોએ પાકિસ્તાનના આતંકવાદીઓને આશરો આપવાના અને લાદેનને છુપાવવાના ઇતિહાસની યાદ અપાવી, જ્યારે કતાર પર આતંકવાદી સંગઠનો માટે મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઈઝરાયલ અને UAE જેવા દેશો જ મધ્ય પૂર્વમાં અમેરિકાના સાચા અને ભરોસાપાત્ર ભાગીદાર છે.
લાદેનને શરણ આપનારાઓ પર આટલો ભરોસો? જેડી વેન્સને ભારે પડ્યો પાકિસ્તાન પ્રેમ!
IND vs ENG: 224 રન ફટકારનાર જેમ્સ કોલ્સની એન્ટ્રી સાથે ઇંગ્લેન્ડની ટીમ જાહેર
ભારત સામેની આગામી T20 સિરીઝ માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 17 સભ્યોની ટીમ જાહેર કરી છે. 1 જુલાઈથી શરૂ થનારી આ 5 મેચોની સિરીઝમાં હેરી બ્રૂક કેપ્ટન હશે. 22 વર્ષીય ઓલરાઉન્ડર જેમ્સ કોલ્સ, જેણે તાજેતરમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 224 રનની ઇનિંગ્સ રમી હતી, તેને પ્રથમ વખત રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે. જોર્ડન કોક્સ, સોની બેકર અને સાકિબ મહમૂદની ટીમમાં વાપસી થઈ છે. ઇજાઓ અને ખેલાડીઓના વર્કલોડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
IND vs ENG: 224 રન ફટકારનાર જેમ્સ કોલ્સની એન્ટ્રી સાથે ઇંગ્લેન્ડની ટીમ જાહેર
AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને પત્ની સહિત 9 લોકો જમીન વિવાદ કેસમાં દોષિત જાહેર
નર્મદાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં રાજપીપળા સેસન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે. આ કેસ 2023માં જંગલ ખાતાની જમીનના વિવાદમાં ફોરેસ્ટ ઓફિસર પર થયેલા હુમલા સાથે સંકળાયેલો છે. કોર્ટ હવે સજાની જાહેરાત કરશે, જેમાં મહત્તમ 10 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. સજાના પ્રમાણ અંગે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ પોતાનો વિગતવાર આદેશ જાહેર કરશે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને પત્ની સહિત 9 લોકો જમીન વિવાદ કેસમાં દોષિત જાહેર
1 જુલાઈથી બદલાશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
જુલાઈ 2026ની શરૂઆત સાથે, દેશમાં અનેક નાણાકીય નિયમોમાં ફેરફાર થશે, જે સામાન્ય માણસના બજેટ પર અસર કરશે. આધાર કાર્ડમાં ઈમેલ અપડેટ હવે UIDAI દ્વારા મફત કરાશે. LPG, ATF, CNG અને PNGના ભાવમાં ફેરફારની શક્યતા છે. HDFC બેન્કના Regalia Gold Credit Card પર એરપોર્ટ લાઉન્જ સુવિધા માટે ખર્ચ મર્યાદા વધારાઈ છે. ગુજરાતમાં જુલાઈમાં બેન્કો નિયમિત રજાઓ સિવાય બંધ રહેશે નહીં, તેથી નાણાકીય કાર્યોનું આયોજન કરવું જરૂરી છે.
1 જુલાઈથી બદલાશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
CBSE બોર્ડની બેદરકારી: વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ રિ-ઇવેલ્યુએશન બાદ આવ્યા!
ઝારખંડના રાંચીની વિદ્યાર્થિની અવની કેજરીવાલે CBSE ધોરણ-12 રિ-ઇવેલ્યુએશન પ્રક્રિયામાં 500માંથી 500 ગુણ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. પ્રારંભિક પરિણામમાં અંગ્રેજી અને બિઝનેસ સ્ટડીઝમાં ઓછા ગુણ મળતા અવનીએ ગુણ ચકાસણી માટે અરજી કરી હતી. રિ-ઇવેલ્યુએશન બાદ અંગ્રેજીમાં 19 અને બિઝનેસ સ્ટડીઝમાં 5 ગુણ વધતા તેનો કુલ સ્કોર 100 ટકા થયો છે. CBSE દ્વારા આ વર્ષે ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો, જેના પરિણામે અનેક વિદ્યાર્થીઓએ ગુણાંકન અંગે રજૂઆતો કરી હતી.
CBSE બોર્ડની બેદરકારી: વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ રિ-ઇવેલ્યુએશન બાદ આવ્યા!
શિંદેની 2029ની મોટી જાહેરાત: ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર
મહારાષ્ટ્રના રાજકારણમાં 'ઓપરેશન ટાઇગર' બાદ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. આ મંચ પરથી જ શિંદેએ 2029ની લોકસભા ચૂંટણીમાં આ સાંસદોને શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે, જે દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર બની શકે છે. આ જાહેરાતથી ભાજપ અને NCPના કબજાવાળી બેઠકો પર શિંદે સેનાનો દાવો મજબૂત થયો છે, જેના કારણે બેઠકોની વહેંચણી (seat sharing) અંગે રાજકીય ગરમાવો વધ્યો છે.
શિંદેની 2029ની મોટી જાહેરાત: ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર
'શબ્દો ખૂટી પડ્યા છે...', ટીમ ઇન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો વૈભવ સૂર્યવંશી
૧૫ વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમમાં પ્રથમ વખત પસંદગી પામ્યા છે. ટીમ ઇન્ડિયાની સત્તાવાર જર્સી પર પોતાનું નામ જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા. BCCI દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં વૈભવે જણાવ્યું કે, ભારતની બ્લુ જર્સી પહેરવાનું તેનું બાળપણનું સપનું આજે હકીકત બન્યું છે, જેના પર તેમને વિશ્વાસ નથી આવી રહ્યો. આ અનુભવને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે, જાણે આ બધું એક સ્વપ્ન હોય.
'શબ્દો ખૂટી પડ્યા છે...', ટીમ ઇન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો વૈભવ સૂર્યવંશી
1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આધાર કાર્ડની આ સુવિધા!
UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ આધાર ધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 1 જુલાઈ 2026 થી 31 ડિસેમ્બર 2026 સુધી, આધારમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની સુવિધા તદ્દન મફત આપવામાં આવશે. સામાન્ય રીતે આ સેવા માટે 75 રૂપિયા ફી વસૂલવામાં આવે છે. આ મફત સુવિધાનો લાભ ફક્ત 'આધાર મોબાઈલ એપ' દ્વારા જ લઈ શકાશે. ઈમેલ અપડેટ કરવાથી આધાર સંબંધિત સૂચનાઓ મેળવવામાં અને સુરક્ષા વધારવામાં મદદ મળે છે.
1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આધાર કાર્ડની આ સુવિધા!
જો ડીલ નિષ્ફળ જશે તો...: શાંતિ વાટાઘાટો વચ્ચે ફરી ઈરાનને ટ્રમ્પની ધમકી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેઝેશ્કિયાન સાથે થયેલી વચગાળાની ડીલ પર ભાર મૂકતાં ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન કરારનું પાલન નહીં કરે અથવા તેનું વર્તન યોગ્ય નહીં રહે, તો અમેરિકા જવાબી કાર્યવાહી કરશે. ટ્રમ્પના દાવા મુજબ, છેલ્લા 4 મહિનામાં ઈરાનને ભારે નુકસાન થયું છે, જેમાં તેની 159 જહાજોની નૌસેના, 250 વિમાનો, એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ, રડાર અને 87 ટકા મિસાઇલ-ડ્રોન ઉત્પાદન ક્ષમતા નાશ પામી છે. તેમણે મીડિયા પર પણ ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લગાવ્યો.
જો ડીલ નિષ્ફળ જશે તો...: શાંતિ વાટાઘાટો વચ્ચે ફરી ઈરાનને ટ્રમ્પની ધમકી
કામાખ્યા મંદિરમાં અંબુબાચી મહાયોગ શરૂ
અસમમાં ગુવાહાટી સ્થિત પવિત્ર કામાખ્યા મંદિરમાં વાર્ષિક અંબુબાચી મહાયોગની શરૂઆત સાથે જ મંદિરના દ્વાર ભક્તો માટે ત્રણ દિવસ બંધ કરવામાં આવ્યા છે. આ પરંપરા દેવી કામાખ્યાના વાર્ષિક માસિક ધર્મ ચક્ર સાથે જોડાયેલી છે. આ સમયગાળા દરમિયાન ગર્ભગૃહમાં પૂજા-અર્ચના સ્થગિત રહેશે. 'પૂર્વના મહાકુંભ' તરીકે ઓળખાતા આ ઉત્સવમાં દેશ-વિદેશથી હજારો સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ભાગ લેવા આવે છે. આ મેળો સ્ત્રી શક્તિ અને ફળદ્રુપતાની પૂજા સાથે સંબંધિત છે. ત્રણ દિવસ બાદ મંદિર ખુલ્યા પછી ભક્તોને પવિત્ર પ્રસાદ મળશે.
કામાખ્યા મંદિરમાં અંબુબાચી મહાયોગ શરૂ
અલ-નીનો, ઇથેનોલ અને વરસાદની અછત: ભારતમાં ખાંડ સંકટ, સરકાર મોટા નિર્ણયો લેશે
અલ-નીનોની અસર, વરસાદની ઘટતી આગાહી અને સરકારના ઇથેનોલ બ્લૅન્ડિંગ પ્રોગ્રામ પર વધતા ભારને કારણે ભારતના ખાંડ ઉદ્યોગ પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાતો દ્વારા સામાન્ય કરતાં ઓછા વરસાદની આશંકા અને ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના વધતા વપરાશને કારણે, આગામી 3 વર્ષ સુધી દેશ નિકાસ માટે પૂરતી ખાંડ ઉપલબ્ધ નહીં રહેવાની ધારણા છે. ઓછા પાણીની જરૂરિયાતવાળા પાકો તરફ ખેડૂતોનું વળવાથી શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે, જે ૨૦૨૫-૨૬ સુધીમાં ઉત્પાદનને વપરાશ કરતાં ઓછું કરી શકે છે. આ પરિસ્થિતિમાં ભારત નિકાસકારમાંથી આયાતકાર બનવાની ભીતિ છે.