ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં!
ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં!
Published on: 23rd June, 2026

તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મમતા બેનર્જીના નેતૃત્વ સામે બળવો કરનાર 8 દિગ્ગજ નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બળવાખોર જૂથે મમતાને ચેરપર્સન પદેથી હટાવી અરૂપ રોયને નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા અને નવી કાર્યકારિણીની જાહેરાત કરી હતી. બળવાખોરોનો દાવો છે કે તેમને 60 ધારાસભ્યો અને 20 સાંસદોનું સમર્થન છે. આ ઘટનાથી TMCમાં મોટા ભંગાણની શક્યતા ઉભી થઈ છે અને પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ગરમાવો વધ્યો છે.