'ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો...', આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી!
'ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો...', આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી!
Published on: 16th May, 2026

દિલ્હીમાં યોજાયેલા ‘સેના સંવાદ’ કાર્યક્રમમાં ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતાં જણાવ્યું કે જો તે આતંકવાદીઓને આશરો આપવાનું ચાલુ રાખશે તો તેને પોતાના ભવિષ્ય અંગે વિચારવું પડશે. તેમણે આતંકવાદ સામે ભારતનું ‘ઝીરો ટોલરન્સ’ વલણ ફરી સ્પષ્ટ કર્યું. આ નિવેદનને પાકિસ્તાન માટે મહત્વપૂર્ણ કૂટનીતિક સંદેશ માનવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા, સરહદી પડકારો અને આધુનિક યુદ્ધની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જેના કારણે ભારત-પાક સંબંધો ફરી ચર્ચામાં આવ્યા છે.