ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ
મુંબઈ : ઈન્ફોસીસ પર હવે રોકાણકારોને એટલો મજબૂત વિશ્વાસ રહ્યો નથી, જેટલો એક સમયે હતો. આ વર્ષે, દલાલ સ્ટ્રીટના વિશ્વસનીય ઈન્વેસ્ટમેન્ટ માટેની લોકપ્રિય કંપનીઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. ઈન્ફોસીસના માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.૨ લાખ કરોડથી વધુ ઘટાડો સાથે કંપની ભારતની માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે ટોચની ૧૦ કંપનીઓમાંથી બહાર થઈ છે.કંપનીના તાજેતરના ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ શેરમાં વેચવાલીનો વેગ વધ્યો છે, કંપનીનો શેર શુક્રવારના ૭ ટકા ગબડયો હતો.
ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ
નીતિન ગડકરી: ‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’
વર્તમાન સમયમાં દેશના રસ્તાઓ પર ટુ-વ્હિલરથી લઈને કાર-બસ સહિતના ઈલેક્ટ્રીક વાહનો દોડી રહ્યા છે. ત્યારે નીતિન ગડકરીએ ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં પેટ્રોલ-ડિઝલની ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. એટલે કે દેશમાં હવે પેટ્રોલ-ડીઝલના વાહનોનો યુગી ધીમે ધીમે સમાપ્ત થવા તરફ આગળ વધી રહ્યો છે. ગડકરીએ નવી દિલ્હીમાં ‘બસવર્લ્ડ કૉન્કલેવ-2026’માં બોલતા વાહન ઉદ્યોગને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, આવનારા સમયમાં ટ્રેડિશનલ ફ્યૂલથી દોડતી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. વર્તમાન સમય ઝડપથી ક્લીન અને સસ્તા ફ્યૂલ તરફ વધી રહ્યો છે.’
નીતિન ગડકરી: ‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’
બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત
અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં 3,034.90 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી બાદ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિનો આંકડો 19,344 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. તપાસ દરમિયાન EDએ પ્રમોટર ગ્રુપની ઘણી મોંઘી સંપત્તિઓ શોધી PMLA હેઠળ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ સંપત્તિઓમાં મુંબઈની ઉષા કિરણ બિલ્ડિંગમાં આવેલો એક લક્ઝરી ફ્લેટ અને પુણેના ખંડાલામાં આવેલું ફાર્મહાઉસ સામેલ છે.
બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત
સામાન્ય લોકોને અંતરિક્ષયાત્રી બનવાની તક આપી ISROએ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ હાલમાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. ISROએ જાહેરાત કરી છે કે STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ)નું બેકગ્રાઉન્ડ ધરાવતાં નાગરિકો હવે અંતરિક્ષ મિશન ગગનયાન માટે અરજી કરી શકશે. આ નિર્ણય ભારતની અંતરિક્ષયાત્રી પસંદગીની પદ્ધતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે અને સ્પેસ એક્સપ્લોરેશનમાં દેશની વધતી મહત્ત્વાકાંક્ષાઓને દેખાડે છે.
સામાન્ય લોકોને અંતરિક્ષયાત્રી બનવાની તક આપી ISROએ
જમીનમાં 8440 ફૂટ નીચે ભારતીય કંપનીને મળ્યો ઓઇલ અને ગેસનો ભંડાર!
ભારતના ઊર્જા ક્ષેત્ર માટે સારા સમાચાર મળ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે, આફ્રિકન દેશ લિબિયામાં ભારતીય કંપનીઓને ક્રૂડ ઓઇલ અને ગેસનો નવો ભંડાર મળ્યો છે. આ મહત્ત્વની શોધ લિબિયાના ગદામસ બેસિન વિસ્તારમાં થઈ છે. આ પ્રોજેક્ટમાં ભારતની જાણીતી કંપનીઓ 'ઓઇલ ઇન્ડિયા લિમિટેડ' અને 'ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ' ભાગીદાર તરીકે કામ કરી રહી છે, જ્યારે અલ્જેરિયાની કંપની સિપેક્સ આ પ્રોજેક્ટનું સંચાલન કરી રહી છે.
જમીનમાં 8440 ફૂટ નીચે ભારતીય કંપનીને મળ્યો ઓઇલ અને ગેસનો ભંડાર!
અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે!
UPમાં આર્થિક ક્રાંતિ લાવવા જઈ રહેલો આ એક્સપ્રેસવે એન્જિનિયરિંગની અદભૂત નમૂનો છે. જેમાં લાખો ટન કચરાનો ઉપયોગ કરીને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ થયો છે, તો બીજી તરફ તે ડિજિટલ નેટવર્કથી પણ સજ્જ છે. આ એક્સપ્રેસવે પર સુરક્ષા માટે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (STMS) લગાવવામાં આવી છે, જે વોર રૂમ જેવા કંટ્રોલ રૂમથી સંચાલિત થશે. જો કોઈ વાહન ખોટી દિશામાં વળશે કે અકસ્માત થશે, તો AI તરત જ કંટ્રોલ રૂમમાં રેડ એલર્ટ મોકલશે. જો કોઈ ગાડી 2 મિનિટથી વધુ સમય માટે હાઈવે પર ઉભી રહેશે, તો AI તેનું લોકેશન નજીકના પેટ્રોલિંગ યુનિટને મોકલી દેશે.
અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે!
ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો!
વર્ષ 2025માં દુનિયાભરમાં પોતાની સેનાઓ પર સૌથી વધુ ખર્ચ કરનારા દેશોની યાદીમાં ભારત પાંચમા સ્થાને રહ્યું છે. વૈશ્વિક સૈન્ય ખર્ચમાં ભારતની હિસ્સેદારી 3.2% રહી છે. પાકિસ્તાન આ મામલે ભારતની આસપાસ પણ ઊભેલું દેખાતું નથી. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રિપોર્ટ અનુસાર, અમેરિકા (USA), ચીન, રશિયા અને જર્મની આ લિસ્ટમાં ટોપ 4 દેશો છે. ત્યારબાદ ભારત 5મા નંબર પર છે. 2025માં ભારતનો સૈન્ય ખર્ચ 92.1 અબજ ડોલર રહ્યો, જે અગાઉના વર્ષની સરખામણીમાં 8.9% વધુ છે.
ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો!
હોર્મુઝના કારણે બમણા ભાવે યુરિયા ખરીદવું પડ્યું તો ભારતે શોધી કાઢ્યો રસ્તો!
ભારત અને રશિયા અંદાજે 2 અબજ ડૉલરના ખર્ચે રશિયાના ટોલિયાટ્ટી શહેરમાં એક વિશાળ યુરીયા ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ રશિયાની યુરાલકેમ અને ભારતની ઈન્ડિયન પોટાશ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ(RCF) અને નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ(NFL)ના સંયુક્ત સાહસ દ્વારા સાકાર કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જવાની શક્યતા છે અને તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 લાખ ટન જેટલી હશે, જે ભારત માટે ખાતરના નિશ્ચિત સ્ત્રોત તરીકે કામ કરશે.
હોર્મુઝના કારણે બમણા ભાવે યુરિયા ખરીદવું પડ્યું તો ભારતે શોધી કાઢ્યો રસ્તો!
દાઉદ ઇબ્રાહિમનો રાઇટ હેન્ડ સલીમ ડોલા ભારત લવાયો, ડ્રગ્સ નેટવર્ક મામલે પૂછપરછ તેજ
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા અને દાઉદ ઈબ્રાહિમનો નજીકનો સાથી સલીમ ડોલા તુર્કીથી ભારત લાવવામાં આવ્યો છે. ઈસ્તંબુલમાં ધરપકડ બાદ તેને દિલ્હી લાવી ગુપ્તચર એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે, ત્યારબાદ તેને મુંબઈ પોલીસને સોંપાશે. ૧૯૬૦માં જન્મેલો ડોલા 'ડી-કંપની' વતી વૈશ્વિક ડ્રગ નેટવર્ક ચલાવતો હતો. ૧૯૯૮માં પહેલીવાર ઝડપાયેલો ડોલા દાયકા પહેલા ભારતથી ભાગી ગયો હતો. તેના પુત્ર અને ભત્રીજાના ડિપોર્ટ થયા બાદ નબળા પડેલા નેટવર્ક વચ્ચે ડોલાની ધરપકડ ભારતીય એજન્સીઓ માટે મોટી સફળતા ગણાય છે.
દાઉદ ઇબ્રાહિમનો રાઇટ હેન્ડ સલીમ ડોલા ભારત લવાયો, ડ્રગ્સ નેટવર્ક મામલે પૂછપરછ તેજ
બીજા તબક્કાનો પ્રચાર સમાપ્ત, 142 બેઠકો પર આવતીકાલે મતદાન.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ૧૪૨ બેઠકો પર ૨૯ એપ્રિલે મતદાન યોજાશે, જેનો પ્રચાર સોમવારે પૂર્ણ થયો છે. સત્તાના જંગ માટે નિર્ણાયક ગણાતા આ તબક્કામાં મમતા બેનર્જીએ દક્ષિણ કોલકાતામાં ૬ કિમી લાંબો ભવ્ય રોડ શો યોજી શક્તિપ્રદર્શન કર્યું હતું. બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષાની ખાતરી આપતા જણાવ્યું કે ગુંડાઓથી ડરવાની જરૂર નથી અને ચૂંટણી બાદ પણ કેન્દ્રીય દળો સાત દિવસ સુધી તહેનાત રહેશે. ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
બીજા તબક્કાનો પ્રચાર સમાપ્ત, 142 બેઠકો પર આવતીકાલે મતદાન.
કાળઝાળ ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, દિલ્હી-પંજાબ-યુપીમાં વાતાવરણ પલટાશે
ભારતીય હવામાન વિભાગે (IMD) દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં આંધી, તોફાન અને વરસાદની આગાહી સાથે ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ૪૦-૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓમાં ભારે વરસાદ અને કરા પડવાની આશંકાને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ અચાનક આવેલા હવામાન પલટાથી લોકોને આકરી ગરમીમાં રાહત મળશે, પરંતુ વીજળી પડવાની ચેતવણી સામે સાવચેત રહેવા જણાવાયું છે.
કાળઝાળ ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, દિલ્હી-પંજાબ-યુપીમાં વાતાવરણ પલટાશે
પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, મોટા ષડયંત્રની આશંકા
રેલવે ટ્રેક પર થયેલા પ્રચંડ વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ભય અને ઉત્તેજનાનો માહોલ ફેલાયો છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ, RPF અને ગુપ્તચર એજન્સીઓએ સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી, પરંતુ તેને ટ્રેનને પલટાવવાનું મોટું ષડયંત્ર માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ચંડીગઢ અને સરહિંદમાં આવા વિસ્ફોટો થયા હોવાથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને આતંકી સંડોવણીના પાસા પર ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, મોટા ષડયંત્રની આશંકા
આજે PMની સિક્કિમમાં જાહેર સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના બે દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ રાજ્યના ૫૦મા સ્થાપના દિવસના સમાપન સમારોહમાં હાજરી આપશે. પીએમ ગંગટોકમાં ₹૪૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જેમાં આરોગ્ય, પરિવહન અને પ્રવાસન ક્ષેત્રના કામો સામેલ છે. અગાઉ તેમણે ભવ્ય રોડ શો યોજી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. ૧૬ મે ૧૯૭૫ના રોજ ભારતનું ૨૨મું રાજ્ય બનેલા સિક્કિમની પ્રગતિને વેગ આપવા વડાપ્રધાને શિક્ષણ અને કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂક્યો છે.
આજે PMની સિક્કિમમાં જાહેર સભા
UPનું બાંદા દુનિયામાં સૌથી ગરમ, પારો 47.6°C:6 શહેરોમાં તાપમાન 46° પાર.
ઉત્તર પ્રદેશનું બાંદા ૪૭.૬°C તાપમાન સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જેણે એપ્રિલ મહિનાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ પારો ૪૬ ડિગ્રીને પાર પહોંચતા ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ જોવા મળ્યો છે. વધતા હીટવેવના જોખમને પગલે કેન્દ્ર સરકારે રાજ્યોને હોસ્પિટલોમાં 'હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ' સજ્જ કરવા આદેશ આપ્યા છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી દિવસોમાં ગુજરાત સહિત ૧૩ રાજ્યોમાં આંધી-વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે.
UPનું બાંદા દુનિયામાં સૌથી ગરમ, પારો 47.6°C:6 શહેરોમાં તાપમાન 46° પાર.
નવા રોકાણોમાં ખાનગી ક્ષેત્રનો 70% હિસ્સો
ગત નાણાકીય વર્ષમાં નવા રોકાણોમાં ખાનગી ક્ષેત્રએ આગેવાની લીધી. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ખાનગી ક્ષેત્રએ નવા મૂડી રોકાણોનું નેતૃત્વ કર્યું હતું. ઘણા વર્ષો પછી પહેલીવાર નવા પ્રોજેક્ટ્સમાં તેમનો હિસ્સો ૭૦%ને કૂદાવી ગયો હતો. આ નવા રોકાણ પ્રતિબદ્ધતાઓમાં ૫૧.૫%નો વધારો થવાને કારણે થયું હતું, જે વર્ષ માટે લગભગ રૂ. ૪૧ લાખ કરોડ સુધી પહોંચ્યું હતું.
નવા રોકાણોમાં ખાનગી ક્ષેત્રનો 70% હિસ્સો
યુદ્ધ શાંતિ મંત્રણામાં મડાગાંઠ વચ્ચે ક્રૂડના ભાવ ઉછળી 108 ડોલર કુદાવી ગયા
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે વેચવાનું માનસ રહ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૭૦૯થી ૪૭૧૦ વાળા ઘટી નીચામાં ભાવ ૪૬૭૨ થઈ ૪૭૦૩થી ૪૭૦૪ ડોલર રહ્યા હતા. ફંડોનું સેલીંગ વધ્યું હતું. ઈરાન તથા અમેરિકા વચ્ચે હવે બનાવો કેવો વળાંક લે છે તેના પર બજારની નજર રહી હતી.
યુદ્ધ શાંતિ મંત્રણામાં મડાગાંઠ વચ્ચે ક્રૂડના ભાવ ઉછળી 108 ડોલર કુદાવી ગયા
લોકટક તળાવ અને 'કૂમડી' ટાપુઓ : કુદરતનું અનોખું અજાયબ ઘર
મણિપુરનું લોકટક તળાવ ઉત્તર-પૂર્વ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર અને કુદરતી અજાયબી છે. તેની મુખ્ય વિશેષતા માટી અને વનસ્પતિથી બનેલા 'ફુમદી' નામના તરતા ટાપુઓ છે, જેના પર લોકો ઘર બનાવીને રહે છે. અહીં વિશ્વનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન 'કેઇબુલ લામજાઓ' આવેલો છે, જે દુર્લભ 'સંગાઈ' હરણનું નિવાસસ્થાન છે. સ્થાનિકો માટે આજીવિકાનો સ્ત્રોત ગણાતું આ તળાવ હાલ પ્રદૂષણના પડકારોનો સામનો કરી રહ્યું છે, જેના સંરક્ષણ માટે તેને 'રામસર સાઇટ' જાહેર કરવામાં આવ્યું છે.
લોકટક તળાવ અને 'કૂમડી' ટાપુઓ : કુદરતનું અનોખું અજાયબ ઘર
અગનગોળા વચ્ચે પણ ગિગ વર્કરોએ અવિરત કામ કરતાં રહેવું પડે છે
દેશમાં હાલ 77 લાખ ગિગ વર્કરો કાર્યરત- પ્રસંગપટ- ભયાનક ગરમીથી બચવા માટે ગિગ વર્કરો માટે હીટ ડિસ્ટ્રેસ બટન જેવી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. બપોરનો સમય કરફ્યૂ સમાન બની ગયો છે. આવી પરિસ્થિતિમાં જેમણે અનિવાર્યપણે બહાર જવું પડે તેવા લોકો જ રસ્તા પર દેખાતા હોય છે.
અગનગોળા વચ્ચે પણ ગિગ વર્કરોએ અવિરત કામ કરતાં રહેવું પડે છે
ભગવંત માનની પંજાબ સરકારે ઘઉંનાં ખેતરો ફરી લહેરાવ્યા.
પંજાબ સહિત ઉત્તરીય ભારતમાં ગુનાખોરી વધી છે, જેને પહોંચી વળવા પાવરફુલ વિજિલન્સ જરૂરી છે. એક સમયે ૨૫૦૦ કરોડના ડ્રગ્સ ઝડપાવા એ મોટી ઘટના હતી, પરંતુ હવે ગુજરાત અને પંજાબમાં ડ્રગ્સ પકડાવું સામાન્ય છે. આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર ડ્રગ્સ વિરોધી પગલાંમાં એકાગ્ર હોવાથી "ઉડતા પંજાબ" હવે ધરતી પર આવી રહ્યું છે.
ભગવંત માનની પંજાબ સરકારે ઘઉંનાં ખેતરો ફરી લહેરાવ્યા.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સદીઓમાં ભાગ્યે જ જોવા મળે તેવી ટ્રેડ ડીલ- 5,000 વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા હેઠળ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ નોકરીનો અધિકાર : ન્યૂઝીલેન્ડની ભારતીયોને ભેટ- બંને દેશ એકબીજાને ત્યાં ૧૦૦ ટકા ડયુટી ફ્રી પ્રોડક્ટ્સની નિકાસ કરી શકશે, આગામી વર્ષથી અમલનવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયો છે. આ કરારના લીધે બંને દેશ એકબીજાને સંપૂર્ણ ૧૦૦ ટકા જકાતમુક્ત નિકાસ કરી શકશે. તેમા કાપડ, ચામડાના જૂતા, હીરા અને ઝવેરાતનો સમાવેશ થાય છે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ
પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, 4 મેએ પરિણામ
ભાજપ-TMCના આરોપો વચ્ચે બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત- મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીની હાઈપ્રોફાઈલ બેઠક પર લડત. કુલ 3.21 કરોડ મતદારો મતદાન કરશે- બંગાળમાં ચૂંટણી પછી 60 દિવસ સુધી કેન્દ્રીય સુરક્ષાદળો તૈનાત રહેશે. પશ્વિમ બંગાળમાં ૧૪૨ વિધાનસભા બેઠકો પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કાના પ્રચારના છેલ્લાં દિવસે રાજકીય ડ્રામા અને ઉત્તેજના જોવા મળ્યાં હતા.
પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, 4 મેએ પરિણામ
રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ
કેન્દ્ર સરકારે દેશભરમાં વધતા તાપમાન અને હીટવેવના જોખમને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હોસ્પિટલોમાં 'હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ' ઊભા કરવા તાકીદ કરી છે. આ વ્યવસ્થા હેઠળ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવા અને કેસોના આંકડા શેર કરવા માટે કોમન પ્લેટફોર્મ બનાવવાની સૂચના અપાઈ છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અસહ્ય ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે આ યુનિટ્સ હીટ સ્ટ્રોકના કેસમાં ઇમરજન્સી મેનેજમેન્ટ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.
રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ
બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન: બાંદામાં 47.6 ડિગ્રી
દિલ્હીમાં અસહ્ય ગરમી વચ્ચે બે દિવસ વરસાદની આગાહી- અનેક રાજ્યોમાં શાળા-કોલેજોના સમય બદલાયા, બાળકોને ડિહાઈડ્રેશન ન થાય તે માટે ORS, ઠંડું પાણી જેવી વ્યવસ્થા રાખવા તાકીદ. દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીએ હાહાકાર મચાવી દીધો હતો. ઉત્તર પ્રદેશનું બાંદા ૪૭.૬ ડિગ્રીમાં શેકાયું હતું. બાંદામાં ગરમીનો જૂનો રેકોર્ડ તૂટયો હતો.
બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન: બાંદામાં 47.6 ડિગ્રી
ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન
અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે થોડા દિવસ પહેલા ભારતીય જહાજ પર હુમલો થયો હતો, જેને લઈને ભારત સરકારે મહત્ત્વની માહિતી આપી છે. સરકારે કહ્યું કે, ‘ઈરાને ઓમાનના દરિયાકાંઠા પાસે ગુજરાતના મુદ્રા પોર્ટ તરફ આવી રહેલા રાસાયણિક ટેન્કર પર ફાયરિંગ કર્યું હતું.’ આ હુમલા બાદ ભારતીય જહાજની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે. જોકે ભારત સરકાર સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશ પાસે પુરતા પ્રમાણમાં ફર્ટિલાઈઝર અને રસોઈ ગેસની પૂરવઠો હોવાની પણ સરકારે ખાતરી આપી છે.
ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન
રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિવ 'પાયલટ' પણ ભાજપમાં કરશે 'લેન્ડિંગ'?
આમ આદમી પાર્ટીના 10માંથી સાત સાંસદોએ પક્ષમાં બળવો કરીને ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલોટ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ગેહલોતે AAPના બળવાખોર સાંસદોની ઘટના બાદ પાયલોટ પર આડકરું નિશાન સાધ્યું છે. અશોક ગેહલોત પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સભા ગજવીને જયપુર પરત આવ્યા હતા. તેમણે જયપુર એરપોર્ટ પર પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘હવે સચિન પાયલોટના બંને પગ કોંગ્રેસમાં છે. તેઓ સંપૂર્ણ કોંગ્રેસ સાથે છે. મને આશા છે કે, તેઓ હવે કોંગ્રેસને છોડવાનું વિચારશે નહીં.’
રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિવ 'પાયલટ' પણ ભાજપમાં કરશે 'લેન્ડિંગ'?
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી
ભારત-ન્યૂઝીલેન્ડે આજે નવી દિલ્હીમાં ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ડીલથી બંને દેશોમાં વેપાર, રોકાણ અને રોજગારમાં વધારો થશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલેન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી
ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર
ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે સૂર્યદેવ આકરા પાણીએ છે. સરેરાશ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. વધતી ગરમીને કારણે બીમારીઓનો ખતરો વધતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જનતા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે જ હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ સક્રિય કરી દેવામાં આવ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે તાપમાન સતત ઊંચું રહે છે ત્યારે શરીરમાં અનેક સમસ્યાઓ ઉદભવે છે.
ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર
ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો: 123 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી
વૈશ્વિક ગ્રીન એનર્જી માર્કેટમાં મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારતીય સોલર મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે અમેરિકા તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો આવ્યો છે. અમેરિકાએ ભારતીય સોલર સેલ અને મોડ્યુલ્સની આયાત પર 123.04 ટકા જેટલી પ્રાથમિક એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય માત્ર એક ટેક્સ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારના દરવાજા લગભગ બંધ કરી દેનારો એક આર્થિક પ્રહાર છે. ફેબ્રુઆરીમાં લાદવામાં આવેલી કાઉન્ટરવેલિંગ ડ્યુટી અને હવેની એન્ટી-ડમ્પિંગ ડ્યુટી મળીને ભારતીય ઉત્પાદનો પર કુલ ટેક્સનો બોજ 234 ટકાથી પણ વધી ગયો છે.
ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો: 123 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી રેલીમાં શીશમહેલનો ઉલ્લેખ કરીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોલકાતામાં રેલીને સંબોધન કરીને કહ્યું કે, કેજરીવાલે જુદા રાજકારણનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ પોતાની નાની ગાડીમાં આવ્યા અને કરોડો રૂપિયાના શીશમહેલમાં જતા રહ્યા. રાહુલે કેજરીવાલ પર કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું હોવાનો, ભ્રષ્ટાચાર કર્યો હોવાનો, દિલ્હીમાં પ્રદૂષણ વધાર્યું હોવાનો અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર વખતે ઉભુ કરેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરી નાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
મુંબઈમાં બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું
મુંબઈથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પાયધુની વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે, સંબંધીઓ સહિત આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ આ દુર્ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે ડોકાડિયા પરિવારે રાત્રે ભોજનમાં બિરયાની ખાધી હતી. તેના થોડા સમય બાદ પરિવારના સભ્યોએ તરબૂચ પણ ખાધું હતું. પરંતુ મોડી રાત્રે અચાનક તમામની તબિયત બગડવા લાગી હતી. હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચારેયના કમકમાટીભર્યા મોત થયા હતા.
મુંબઈમાં બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે. આ સાંસદોના જોડાણ બાદ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, આ મોટા ભંગાણને કારણે આમ આદમી પાર્ટીનું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી મર્યાદિત થઈ ગયું છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026) રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી.