પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, મોટા ષડયંત્રની આશંકા
પંજાબના પટિયાલામાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, મોટા ષડયંત્રની આશંકા
Published on: 28th April, 2026

રેલવે ટ્રેક પર થયેલા પ્રચંડ વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ભય અને ઉત્તેજનાનો માહોલ ફેલાયો છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ, RPF અને ગુપ્તચર એજન્સીઓએ સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી, પરંતુ તેને ટ્રેનને પલટાવવાનું મોટું ષડયંત્ર માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ચંડીગઢ અને સરહિંદમાં આવા વિસ્ફોટો થયા હોવાથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને આતંકી સંડોવણીના પાસા પર ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.