ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનને શત્રુઘ્ન સિન્હા અને રાહુલ ગાંધીનું સમર્થન
ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનને શત્રુઘ્ન સિન્હા અને રાહુલ ગાંધીનું સમર્થન
Published on: 10th August, 2026

ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC-CGL પરીક્ષામાં ગેરરીતિ તથા પેપર લીકની CBI તપાસની માંગ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. વિધાનસભા ઘેરાવ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની TMC સાંસદ શત્રુઘ્ન સિન્હા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આકરી શબ્દોમાં નિંદા કરી છે. બંને નેતાઓએ સરકારને વિદ્યાર્થીઓની વાજબી માંગણીઓ પૂરી કરવા અપીલ કરી છે. બીજી તરફ, ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ રાહુલ ગાંધીના બેવડા વલણ પર સવાલો ઉઠાવ્યા છે, જ્યારે રાજ્ય સરકાર CID તપાસ અને વાર્તાલાપ ચાલુ હોવાનું જણાવી રહી છે.