ધાર-ઉજ્જૈન હાઇવે અકસ્માતમાં પંચમહાલના 6 યુવાનોના મોત!
ધાર-ઉજ્જૈન હાઇવે અકસ્માતમાં પંચમહાલના 6 યુવાનોના મોત!
Published on: 10th August, 2026

ધાર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર થયેલા ભયાનક અકસ્માતમાં ગુજરાતના પંચમહાલના 6 યુવાનોના મોત નીપજ્યા હતા. આ યુવાનો ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરીને કારમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે રોંગ સાઈડથી આવતા ટ્રક સાથે તેમની કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા અને કારમાં સવાર તમામ યુવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ગત મોડી રાત્રે મૃતદેહોને વતન લાવ્યા બાદ આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.