ખામેનેઈની અંતિમ સફર માટે ભારત મોકલી રહ્યું છે પોતાના બે ખાસ દૂતો!
ખામેનેઈની અંતિમ સફર માટે ભારત મોકલી રહ્યું છે પોતાના બે ખાસ દૂતો!
Published on: 29th June, 2026

ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર કાર્યક્રમો 4 જુલાઈ 2026થી શરૂ થશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ભારત તરફથી બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટા હાજરી આપશે. 4 થી 9 જુલાઈ દરમિયાન ઈરાનના વિવિધ શહેરોમાં અંતિમ સંસ્કારના કાર્યક્રમો યોજાશે, જેમાં લાખો લોકો અને વિદેશી VIP મહેમાનો ઉપસ્થિત રહેશે. ઈરાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલ્યું હતું. અમેરિકા-ઈઝરાયેલના એરસ્ટ્રાઈકમાં ખામેનેઈનું મોત થયું હતું.