જયપુરમાં નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, 3 શ્રમિકોના મોત
જયપુરમાં નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, 3 શ્રમિકોના મોત
Published on: 29th June, 2026

રાજસ્થાનના જયપુરના આમેર વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતની મોટી દીવાલ ધરાશાયી થતાં દર્દનાક ઘટના બની. આ અકસ્માતમાં 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. નાળાના ઊંડા ખોદકામ દરમિયાન નજીકની ઇમારતનો પાયો નબળો પડતાં દીવાલ પડી હતી. NDRF અને SDRFની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. જયપુર કલેક્ટરે 3 મૃત્યુની પુષ્ટિ કરી છે, પરંતુ સ્થાનિકોના મતે મૃત્યુઆંક વધી શકે છે.