'અમ્પાયર પણ ભારતનો સાથ આપે છે...', પાકિસ્તાની ક્રિકેટરનું વિવાદિત નિવેદન
'અમ્પાયર પણ ભારતનો સાથ આપે છે...', પાકિસ્તાની ક્રિકેટરનું વિવાદિત નિવેદન
Published on: 08th June, 2026

પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખુશદિલ શાહે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચો વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેણે દાવો કર્યો છે કે ઘણીવાર અમ્પાયરિંગ અને મેચ આયોજન સહિતના નિર્ણયો ભારતીય ટીમની તરફેણમાં હોય છે. આ નિવેદને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે, જ્યાં ઘણા ચાહકો તેને પાકિસ્તાનની સતત હારની નિરાશા ગણાવી રહ્યા છે. ખુશદિલ શાહે કહ્યું કે ભારત સામે જીતવાનો આનંદ અલગ હોય છે, પરંતુ તેના આરોપોને સમર્થન આપવા કોઈ ચોક્કસ પુરાવા રજૂ કર્યા નથી.