TMCમાં મમતા સામે ઉગ્ર બળવાના સંકેત, 14 સાંસદની કેન્દ્રીય મંત્રીના ઘરે બેઠક
TMCમાં મમતા સામે ઉગ્ર બળવાના સંકેત, 14 સાંસદની કેન્દ્રીય મંત્રીના ઘરે બેઠક
Published on: 08th June, 2026

તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં મમતા બેનરજી સામે મોટો બળવો થવાના સંકેત મળ્યા છે. દિલ્હીમાં TMC ના 20 સાંસદો ગાયબ હોવાના અહેવાલો વચ્ચે, 14 સાંસદો કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસે બેઠક કરી રહ્યા છે. આ ઘટનાક્રમને પગલે TMC ના સંસદીય દળમાં મોટા ભંગાણની અટકળો તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સાંસદો લોકસભા સ્પીકરને અલગ જૂથ તરીકે માન્યતા આપવા અથવા રાજીનામું આપવા જેવા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. આ દરમિયાન, વરિષ્ઠ નેતા સુખેન્દુ શેખર રે એ TMC અને રાજ્યસભા સભ્યપદ બંનેમાંથી રાજીનામું આપી દીધું છે.