રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીનો બેબાક જવાબ
રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીનો બેબાક જવાબ
Published on: 08th June, 2026

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રામ મંદિરમાં ચઢાવવામાં આવેલા કરોડો રૂપિયા ગાયબ થયા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીને સવાલ પૂછતાં તેઓ ભડક્યા હતા અને કહ્યું કે, "તેઓ (અખિલેશ યાદવ) કહેતા રહે, અમે થોડી તેના જવાબ આપતા રહીશું." તેમણે સ્પષ્ટ કર્યું કે આ મામલો મંદિર પ્રશાસનનો છે, સરકારનો નહીં. અખિલેશે સોશિયલ મીડિયા પર આ અંગે સુઓમોટો લેવાની પણ માંગ કરી હતી, જેને મંદિર ટ્રસ્ટે ફગાવી દીધો હતો.