રામ મંદિરમાં દાન ચોરી બાદ મોટી કાર્યવાહી!
રામ મંદિરમાં દાન ચોરી બાદ મોટી કાર્યવાહી!
Published on: 22nd July, 2026

અયોધ્યા રામ મંદિરમાં દાનની રકમ ચોરીના કિસ્સા બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે વહીવટી વ્યવસ્થામાં મોટા ફેરફારો શરૂ કર્યા છે. 349 કર્મચારીઓની સ્ક્રીનિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં દાન ગણતરી સાથે જોડાયેલા જૂના તમામ 36 કર્મચારીઓને હટાવી દેવાયા છે. હવે SBI દ્વારા તૈનાત કરાયેલ નવો સ્ટાફ રોકડ દાનની ગણતરી કરશે. આ ઉપરાંત, ટ્રસ્ટની બેઠકમાં નવા મહાસચિવની પસંદગી અને નવા સભ્યોનો સમાવેશ પણ કરાશે.