મધ્યપ્રદેશમાં ટ્રેનમાં આગની અફવાથી મુસાફરો કૂદ્યા, બીજી ટ્રેનની અડફેટે 4ના મોત
મધ્યપ્રદેશમાં ટ્રેનમાં આગની અફવાથી મુસાફરો કૂદ્યા, બીજી ટ્રેનની અડફેટે 4ના મોત
Published on: 14th June, 2026

મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં એક ભયાનક રેલ દુર્ઘટના બની છે. ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાતા ગભરાયેલા મુસાફરો ચાલુ ટ્રેને નીચે કૂદી પડ્યા હતા. દુર્ભાગ્યવશ, રેલવે ટ્રેક પર ઉતરેલા આ મુસાફરોને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી પાતાળકોટ એક્સપ્રેસ ટ્રેને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 4 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. રેલવે તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.