રન આઉટ બાદ શુભમન ગિલને રોહિત શર્માએ શું કહ્યું? ખુદ કેપ્ટને કર્યો ખુલાસો
રન આઉટ બાદ શુભમન ગિલને રોહિત શર્માએ શું કહ્યું? ખુદ કેપ્ટને કર્યો ખુલાસો
Published on: 14th June, 2026

ધર્મશાલામાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં રોહિત શર્મા કમનસીબે રન આઉટ થયા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે, ક્રિઝ પર રહેલા શુભમન ગિલે બેટિંગથી એવી ધમાકેદાર વાપસી કરી કે મેચ જીતાડી અને એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. મેચ પૂરી થયા બાદ ગિલે જણાવ્યું કે રોહિત ભાઈએ ડ્રેસિંગ રૂમમાં રીપ્લે જોઈને કહ્યું કે, "બધું બરાબર છે, કોઈ વાંધો નહીં."