શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે?
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે?
Published on: 24th July, 2026

NEET પેપર લીક વિવાદમાં કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ઉગ્ર બની રહી છે, પરંતુ સરકારના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજીનામું આપશે નહીં. સરકારનું માનવું છે કે રાજીનામું આપવું સરળ છે, પરંતુ તેનાથી પરીક્ષા વ્યવસ્થાની ખામીઓ દૂર થતી નથી. સરકાર પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે જરૂરી સુધારા કરશે. National Testing Agency (NTA) માં રહેલી ખામીઓને ઓળખીને તેને દૂર કરવા પગલાં લેવાશે. પેપર લીક ગેંગનો પર્દાફાશ થયો છે અને કડક કાર્યવાહી થશે. CJP દ્વારા રાજીનામાની માગ ચાલુ છે.