રવનીત સિંહ બિટ્ટુનું મોદી કેબિનેટમાંથી રાજીનામું
રવનીત સિંહ બિટ્ટુનું મોદી કેબિનેટમાંથી રાજીનામું
Published on: 24th July, 2026

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. ભારતીય બંધારણની કલમ 75(2) હેઠળ આ નિર્ણય લેવાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રવનીત સિંહ બિટ્ટુ આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે છે અને તેમને પાર્ટી મહત્વની ભૂમિકા સોંપી શકે છે.