સર્વપક્ષીય બેઠકમાં બળવાખોર સાંસદોની હાજરીથી વિપક્ષ નારાજ, કર્યું વોકઆઉટ
સર્વપક્ષીય બેઠકમાં બળવાખોર સાંસદોની હાજરીથી વિપક્ષ નારાજ, કર્યું વોકઆઉટ
Published on: 20th July, 2026

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં તૃણમુલ કોંગ્રેસ (TMC) ના બળવાખોર સાંસદોને આમંત્રણ મળતાં વિપક્ષ ભારે નારાજ થયો અને બેઠકમાંથી વોકઆઉટ કર્યું. વિરોધ પક્ષોએ રામ મંદિર દાનમાં ચોરી, NEET પેપર લીક અને ઇથેનોલવાળા પેટ્રોલ (E20) જેવા મુદ્દાઓ પર સંસદમાં ચર્ચાની માંગ કરી છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું કે તમામ પક્ષોએ મહત્વના બિલોને સમર્થન આપવું જોઈએ, જ્યારે TMCના બળવાખોર સાંસદોને 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' સાથે જોડાયેલા ગણાવી આમંત્રણ આપવાનો બચાવ કર્યો.