આપણા સ્વાતંત્ર્ય નાયકો : રાણીમા ગાઈડિન્લ્યુ
આપણા સ્વાતંત્ર્ય નાયકો : રાણીમા ગાઈડિન્લ્યુ
Published on: 13th June, 2026

સરકારે ગાઈડિન્લ્યુનો પત્તો આપનારને 5000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. પરંતુ એક પણ નાગજાતિનો માણસ એવડી મોટી રકમથી ન લલચાયો. ગાઈડિન્લ્યુને તેઓ દેવી માનતા હતા. સરકારે હવે નાગપ્રજા પર ત્રાસ ગુજારવા માંડયો.'હારકા' આંદોલન દ્વારા અંગ્રેજો સામે જંગે ચડનારાં રાણીમા ગાઈડિન્લ્યુ નાગપ્રદેશનાં વતની હતાં.