સાપુતારા જતા સમયે બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો સુરક્ષિત બચાવ થયો
સાપુતારા જતા સમયે બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો સુરક્ષિત બચાવ થયો
Published on: 04th September, 2026

અમદાવાદથી સાપુતારા જતી ખાનગી બસ સામગહાન-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતનો ભોગ બની. જન્માષ્ટમી નિમિત્તે ફરવા નીકળેલા 54 મુસાફરો ધરાવતી આ બસ ચઢાણ પર અચાનક રિવર્સમાં ધસી ગઈ હતી. સુભાગ્યે, બસ નજીકના ખાડામાં ઉતરી ભેખડ સાથે અથડાઈને અટકી ગઈ, જેના કારણે મોટી દુર્ઘટના ટળી. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો અને કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતથી મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ સૌ સુરક્ષિત હોવાથી રાહત થઈ.