સરહદ પર તૈનાત જવાનો માટે બહેનોએ 68,000 રાખડીઓ મોકલાઈ
સરહદ પર તૈનાત જવાનો માટે બહેનોએ 68,000 રાખડીઓ મોકલાઈ
Published on: 10th August, 2026

વડોદરાના નિવૃત્ત શિક્ષક સંજય બચ્છાવે ૨૦૧૫માં સરહદી જવાનો માટે રાખડી મોકલવાનું અભિયાન શરૂ કર્યું હતું. આ વર્ષે દેશ-વિદેશની બહેનોએ ૬૮,૦૦૦ થી વધુ રાખડીઓ મોકલી છે, જે કારગીલ, સિયાચીન, અરુણાચલ પ્રદેશ અને ગલવાન ખીણ જેવા વિસ્તારોમાં જવાનો સુધી પહોંચાડવામાં આવશે. શરૂઆતમાં માત્ર ૭૫ રાખડીઓથી શરૂ થયેલું આ અભિયાન હવે ૧૪ દેશો અને ભારતના ૪૦ શહેરો સુધી વિસ્તર્યું છે. રાખડીઓ સાથે બહેનો જવાનો માટે સંદેશા પણ મોકલી રહી છે, જેનાથી અનેક સૈનિકો પોતાની બહેનોનો સંપર્ક સાધી તેમનો આભાર માની રહ્યા છે.