અરુણાચલ પ્રદેશમાં ભારે પૂર: 1 લાખ લોકો પ્રભાવિત
અરુણાચલ પ્રદેશમાં ભારે પૂર: 1 લાખ લોકો પ્રભાવિત
Published on: 13th July, 2026

અરુણાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદને કારણે કુમેય નદી ભયજનક સપાટી વટાવી ગઈ છે, જેના લીધે સરહદી શહેર પારસી-પારલો સર્કલ સહિત અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. શાળાઓ, કચેરીઓ અને ઘરોમાં પાણી ભરાયા છે, જ્યારે ભૂસ્ખલન અને ધોવાણને કારણે રસ્તાઓને ભારે નુકસાન થયું છે. 26 જિલ્લાના 425 ગામોમાં 97,182 લોકો પ્રભાવિત થયા છે, જેમાં 7 લોકોના મોત અને 29 ઘાયલ થયા છે. કૃષિ, જાહેર સંપત્તિ અને માળખાકીય સુવિધાઓને પણ મોટું નુકસાન થયું છે.