રેલવેની જમીન પર અતિક્રમણમાં 32% નો વધારો: RTI માં ચોંકાવનારો ખુલાસો
રેલવેની જમીન પર અતિક્રમણમાં 32% નો વધારો: RTI માં ચોંકાવનારો ખુલાસો
Published on: 13th July, 2026

રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) એક્ટ હેઠળ મળેલા ખુલાસા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય રેલવેની જમીન પર અતિક્રમણમાં 32% નો નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ 2025 સુધીમાં, રેલવેની 1068.54 હેક્ટર જમીન અતિક્રમણ હેઠળ આવી ગઈ છે. આટલી જમીન પર વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા 42 મેદાનો બની શકે છે. વર્ષ 2020-21 માં 810.31 હેક્ટર જમીન અતિક્રમિત હતી, જે વધીને 2024-25 માં 1068.54 હેક્ટર થઈ છે, જે ગેરકાયદેસર કબજાની ગંભીરતા દર્શાવે છે.