સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ, રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા પ્રજાને પ્રેરણા
સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ, રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા પ્રજાને પ્રેરણા
Published on: 03rd August, 2026

દાદરા અને નગર હવેલીના 73મા મુક્તિ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સિલવાસા સ્થિત 'અટલ ભવન' ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. પ્રદેશ પ્રમુખે 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા નાગરિકોને રાષ્ટ્રહિતમાં યોગદાન આપવા અપીલ કરી. સાંસદ કલાબેન ડેલકરે પૂર્વજોના બલિદાન અને થયેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી. અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.