મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા મુદ્દે વિવાદ!
મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા મુદ્દે વિવાદ!
Published on: 11th August, 2026

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના ટીટાગઢ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા મસ્જિદો પરથી લાઉડસ્પીકર અને માઈક્રોફોન હટાવવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ સ્થાનિક સ્તરે મોટો વિવાદ ઊભો થયો છે. મુસ્લિમ સંગઠનોનો આરોપ છે કે પોલીસે માત્ર મૌખિક સૂચનાઓ આપી હતી, કોઈ લેખિત નોટિસ કે આદેશ આપ્યો નથી. તેમણે ધ્વનિ પ્રદૂષણ નિયમો અંગે SOP જાહેર કરવાની માગ કરી છે. પોલીસનું કહેવું છે કે આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિયમોનું પાલન કરાવવા માટે છે. આ મામલો હવે કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યો છે.