મમતાના નજીકના મિત્રનો TMC પર મોટો દાવો: પક્ષ થોડા દિવસોમાં ખતમ થઈ જશે!
મમતાના નજીકના મિત્રનો TMC પર મોટો દાવો: પક્ષ થોડા દિવસોમાં ખતમ થઈ જશે!
Published on: 29th May, 2026

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની સ્થિતિ કફોડી બની છે. મમતા બેનર્જીના નજીકના ગણાતા રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે મોટો દાવો કર્યો છે કે TMC હવે થોડા જ દિવસોમાં ખતમ થઈ જશે. તેમણે ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા અને આર.જી. કાર હોસ્પિટલ જેવી ઘટનાઓને પક્ષના પતનનું મુખ્ય કારણ ગણાવ્યું. I-PAC અને અભિષેક બેનર્જી પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. આ પરિસ્થિતિમાં પક્ષની વિશ્વસનીયતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે.