બુલેટ ટ્રેન આવે, પણ અમદાવાદથી અનેક રાજ્યોમાં સીધી ટ્રેન નથી?
બુલેટ ટ્રેન આવે, પણ અમદાવાદથી અનેક રાજ્યોમાં સીધી ટ્રેન નથી?
Published on: 29th May, 2026

અમદાવાદ રેલવે જંક્શન, જે દેશના પશ્ચિમ ભાગનું સૌથી વ્યસ્ત જંક્શન છે, ત્યાંથી દરરોજ 300થી વધુ ટ્રેનો ચાલે છે. રેલવેના દાવા મુજબ, મોટાભાગના રાજ્યો સાથે સીધી કનેક્ટિવિટી છે. મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, જયપુર, લખનઉ અને પટણા જેવા શહેરો માટે રોજિંદી ટ્રેનો છે. તેમ છતાં, 'દેશને જોડતી રેલવે'ના દાવા છતાં, અનેક રાજ્યની રાજધાનીઓ સુધી અમદાવાદથી સીધી ટ્રેન સેવા હજુ પણ ઉપલબ્ધ નથી. ખાસ કરીને, ઉત્તર-પૂર્વ ભારત જતા મુસાફરોને લાંબી અને કષ્ટદાયક મુસાફરી કરવી પડે છે.