રિષભ પંત માટે ખતરાની ઘંટડી!
રિષભ પંત માટે ખતરાની ઘંટડી!
Published on: 18th May, 2026

IPL 2026 બાદ ભારતીય ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ અને ત્રણ વનડે મેચની સિરીઝ રમશે. 6 જૂનથી મુલ્લાંપુરમાં ટેસ્ટ મેચ જ્યારે ધર્મશાળા, લખનઉ અને ચેન્નઈમાં વનડે મુકાબલા યોજાશે. આ દરમિયાન રિષભ પંત માટે મુશ્કેલીના સંકેતો સામે આવ્યા છે. અહેવાલો મુજબ BCCI ટેસ્ટ ટીમના વાઇસ-કેપ્ટન પદ પરથી પંતને હટાવવાનો ગંભીરતાથી વિચાર કરી રહી છે. જોકે વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં તેનું સ્થાન સુરક્ષિત માનવામાં આવે છે. 19 મેના રોજ ગુવાહાટીમાં યોજાનારી પસંદગીકારોની બેઠકમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.