ભારતીય જસ્ટિસ મુરલીધરે UN મંચ પર ઈઝરાયલના કૃત્યો કર્યા ઉજાગર
ભારતીય જસ્ટિસ મુરલીધરે UN મંચ પર ઈઝરાયલના કૃત્યો કર્યા ઉજાગર
Published on: 09th July, 2026

નિવૃત્ત ભારતીય જસ્ટિસ શ્રીનિવાસન મુરલીધરે UN ઇન્ક્વાયરી કમિટીના અધ્યક્ષ તરીકે ગાઝામાં ઈઝરાયલી સેના દ્વારા 20,000 થી વધુ નિર્દોષ બાળકોની ક્રૂર હત્યાનો ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના દાવાઓને જૂઠા સાબિત કરે છે. જસ્ટિસ મુરલીધરે સ્પષ્ટ કહ્યું કે ઈઝરાયલી સુરક્ષા દળોએ ફિલિસ્તિની બાળકોને જાણી જોઈને નિશાન બનાવ્યા. આયોગે ઈઝરાયલને હથિયારો વેચવાનું બંધ કરવા અને નેતન્યાહૂ સહિત જવાબદાર અધિકારીઓની ધરપકડની ભલામણ કરી છે.