મક્કા નજીક ડ્રોન હુમલાથી ભારત ચિંતિત
મક્કા નજીક ડ્રોન હુમલાથી ભારત ચિંતિત
Published on: 16th September, 2026

સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા પાસે થયેલા ડ્રોન હુમલા અંગે ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, સામાન્ય નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોખમમાં મૂકતી આવી ઘટનાઓની ભારત આકરા શબ્દોમાં નિંદા કરે છે. તેમણે કહ્યું કે, આ ઘટના વિશેષ રૂપે ચિંતાજનક છે, કારણ કે મક્કા વિશ્વભરના કરોડો મુસ્લિમો માટે પવિત્ર સ્થળ છે. ભારતે પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા સ્થાપવાની અપીલ કરી છે, આશા છે કે ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય બનશે.