ભગવાન જગન્નાથનો રથ રોકાય છે મુસ્લિમ ભક્ત સાલબેગની મજાર પર
ભગવાન જગન્નાથનો રથ રોકાય છે મુસ્લિમ ભક્ત સાલબેગની મજાર પર
Published on: 16th July, 2026

જગન્નાથ રથયાત્રા 2026 માં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળશે. આ યાત્રા સાથે ભક્ત સાલબેગની કથા પ્રચલિત છે. લોકવાયકા અનુસાર, એકવાર રથ ભક્ત સાલબેગની સમાધિ પાસે અચાનક રોકાઈ ગયો હતો. અનેક પ્રયાસો છતાં રથ આગળ ન વધતાં, 'જય ભક્ત સાલબેગ'ના જયઘોષ બાદ જ રથ ફરી ચાલ્યો હતો. આજે પણ રથયાત્રા દરમિયાન મહાપ્રભુનો રથ ભક્ત સાલબેગની સમાધિ સામે થોડીવાર માટે ચોક્કસ રોકાય છે, જે સાબિત કરે છે કે ભગવાન માટે સાચી શ્રદ્ધા જ સર્વોપરી છે.