ભરૂચ જામા મસ્જિદના મૂળ અંગે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસની હિન્દુ-જૈન સંગઠનો દ્વારા માંગ
ભરૂચ જામા મસ્જિદના મૂળ અંગે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસની હિન્દુ-જૈન સંગઠનો દ્વારા માંગ
Published on: 16th June, 2026

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અંગે હિન્દુ-જૈન સંગઠનોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. આ સ્મારક મૂળતઃ જૈન વિહાર અને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાના દાવા સાથે, તેના મૂળ ઇતિહાસની નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસની માંગણી કરવામાં આવી છે. સોમવારે, મહારાષ્ટ્રથી આવેલા ચક્રધર સ્વામીના સમર્થકો સાથે ભરૂચમાં વિશાળ રેલી યોજાઈ હતી. કલેક્ટરને આવેદનપત્ર આપી, સ્મારકના મૂળ સ્વરૂપને જાળવી રાખવા, ઐતિહાસિક સત્ય બહાર લાવવા અને પુરાતત્વ વિભાગ દ્વારા જવાબદારી લેવાની માંગણી કરાઈ.