છોટાઉદેપુર નગરમાં વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્વચ્છતા સે સ્વાગત કાર્યક્રમનું આયોજન
છોટાઉદેપુર નગરમાં વડાપ્રધાન મોદીના આગમનને લઈને સ્વચ્છતા સે સ્વાગત કાર્યક્રમનું આયોજન
Published on: 07th September, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત આગમનને વધાવવા માટે રાજ્યમાં સ્વચ્છતા સે સ્વાગત જનઅભિયાન શરૂ કરાયું છે. તેના ભાગરૂપે છોટાઉદેપુર નગરે વિશેષ પહેલ કરી છે. છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, નગરજનો, સાંસદ જસુભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ પરવેઝ મકરાણી, ચીફ ઓફ્સિર, સભ્યો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને સ્ટેશન પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને વડાપ્રધાનના સ્વચ્છતાના સંકલ્પને મજબૂત બનાવવાનો નિર્ધાર કર્યો હતો.