‘રામ વનગમન પથ’નો રસ્તો ધસી પડ્યો, તો ક્યાંક તિરાડો દેખાઈ...
‘રામ વનગમન પથ’નો રસ્તો ધસી પડ્યો, તો ક્યાંક તિરાડો દેખાઈ...
Published on: 07th September, 2026

પ્રયાગરાજમાં રામ વનગમન પથ પ્રોજેક્ટ હેઠળ બની રહેલો રોડ અને બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. શ્રૃંગવેરપુર ધામ નજીક લગભગ 100 મીટર વિસ્તારમાં રસ્તો ઉખડી ગયો છે, બોર્ડર તૂટી ગઈ છે અને બ્રિજમાં મોટી તિરાડો પડી છે. ₹4400 કરોડના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભગવાન રામના વનવાસ સાથે જોડાયેલા સ્થળોને જોડવાનો છે. બાંધકામ દરમિયાન જ આવી ખામીઓ સામે આવતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ મોટા વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે.