ચોટીલામાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી: મંત્રીશ્રીએ લહેરાવ્યો તિરંગો
ચોટીલામાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી: મંત્રીશ્રીએ લહેરાવ્યો તિરંગો
Published on: 17th August, 2026

સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના ૭૭મા સ્વતંત્રતા પર્વની પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. મંત્રીશ્રીએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર સૈનિકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર, SP સહિત અધિકારીઓ અને આમ આદમી હાજર રહ્યા હતા.