કાજલ બારૈયા હત્યા કેસમાં ગેનીબેન ઠાકોરે ભાવનગર પોલીસ અને PIની પ્રશંસા કરી
કાજલ બારૈયા હત્યા કેસમાં ગેનીબેન ઠાકોરે ભાવનગર પોલીસ અને PIની પ્રશંસા કરી
Published on: 08th September, 2026

કાજલ બારૈયા હત્યા કેસમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ભાવનગર પોલીસ અને PI ડી.પી.ઉનડકટની ઝડપી અને કાયદો વ્યવસ્થા જાળવી રાખી કાર્યવાહી કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ આરોપી ફૈઝલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા તેમણે માગ કરી છે. ભાવનગર પોલીસે આરોપી ફૈઝલને જાહેરમાં 100થી વધુ ડંડા મારી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસની આ કામગીરીથી સમાજમાં અપરાધીઓ સામે સખત સંદેશ ગયો છે. ગેનીબેને જણાવ્યું કે આવા નરાધમો સામે ઉદાહરણરૂપ કાનૂની કાર્યવાહી થવી જરૂરી છે, જેથી આવા જઘન્ય કૃત્યની કોઈ હિંમત ન કરે.